Webdunia - Bharat's app for daily news and videos

Install App

AMARNATH યાત્રાળુઓને લઈ જતી બસ ખીણમાં ખાબકી, 17ના મોત 25 ઘાયલ રાહતકાર્ય ચાલુ (VIDEO)

Webdunia
સોમવાર, 17 જુલાઈ 2017 (12:04 IST)
જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રાળુઓને લઈને જઈ રહેલી બસ અકસ્માતગ્રસ્ત થઈ થઈ છે. બસ ખાઈમાં પડી જતા 11 લોકોના માર્યા ગયા હોવાના અહેવાલ છે. અકસ્માતમાં 35 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત બનિહાલ પાસે જમ્મુ અને કાશ્મીર હાઈવે પર થયો છે. જગ્યા રામબન જિલ્લા પાસે છે. આ અકસ્માતગ્રસ્ત બસમાં કેટલા લોકો સવાર હતા અને હાલ શું સ્થિતિ છે તે સ્પષ્ટ થયું નથી. બસ જમ્મુથી પહેલગામ જઈ રહી હતી. પોલીસ અને રામબન પ્રશાસને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધુ છે. આ અગાઉ સોમવારે રાજ્યના અનંતનાગમાં અમરનાથ યાત્રાળુઓ ભરેલી બસ પર આતંકી હુમલો થયો હતો જેમાં 8 શ્રદ્ધાળુઓએ પોતાના જીવ ગુમાવ્યાં હતાં.
 
જે બસ પર આતંકી હુમલો થયો હતો તે ગુજરાતની બસ હતી. મોટા ભાગના યાત્રાળુઓ ગુજરાતના હતાં. ડ્રાઈવર સલીમની હોશિયારીના કારણે મોટી ખુવારી થતા બચી ગઈ. હુમલો થવા છતાં ડ્રાઈવરે સતત બસ ચલાવવાની ચાલુ રાખી હતી. જેના કારણે આતંકીઓના મનસૂબા સાકાર થઈ શક્યા નહતાં.
 
આ વખતની અમરનાથ યાત્રામાં આ બીજો મોટો કમનસીબ બનાવ બન્યો છે. હજી અમુક દિવસો પહેલાં જ અનંતનાગમાં ત્રાસવાદીઓએ કરેલા ગોળીબારમાં ગુજરાતનાં સાત અમરનાથ યાત્રીઓ માર્યા ગયા હતા. તે હુમલામાં ઘાયલ થયેલા લલિતા નામનાં એક 47 વર્ષીય મહિલા શ્રદ્ધાળુએ આજે વહેલી સવારે હોસ્પિટલમાં દમ તોડતાં મરણાંક વધીને 8 થયો છે.

<

#WATCH: Rescue operation by Army underway as bus carrying Amarnath Yatra pilgrims fell off road on Jammu-Srinagar highway in Ramban, 11 dead pic.twitter.com/f1anBmdtdd

— ANI (@ANI_news) July 16, 2017



વીડિયો સાભાર - એએનઆઈ 
>

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments