Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિરૂદ્ધ કરવામાં આવેલી ખેડૂતોની અરજીને હાઇકોર્ટે ફગાવી, ખેડૂતો ખખડાવશે સુપ્રીમ કોર્ટના દ્વાર

Webdunia
ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2019 (17:52 IST)
વડાપ્રધાન નરેંદ્ર મોદીના મહાત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો રસ્તો સાફ થઇ ગયો છે. ગુજરાત હાઇકોર્ટે ગુરૂવારે ખેડૂતોની અરજીને નકારી કાઢી છે. ખેડૂતોની માંગણી છે કે તેમની જમીનનું  વળતર માર્કેટ અનુસાર આપવામાં આવે, ના કે સરકારના દર અનુસાર. ખેડૂતોની આ માંગને હાઇકોર્ટે નકારી કાઢી છે. હવે ખેડૂતો સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેંદ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ 14 સપ્ટેમ્બર 2017ના રોજ 1.08 લાખ કરોડ રૂપિયાના મહાત્વાકાંક્ષી હાઇ-સ્પીડ પ્રોજેક્ટનો શિલાન્યાસ રાખ્યો હતો.  
 
રેલવેએ ટનલ બોરિંગ મશીન (ટીબીએમ) અને ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથલ (એનએટીએમ)નો ઉપયોગ કરી મુંબઇના બાંદ્વા-કુર્લા કોમ્પ્લેક્સ અને મહારાષ્ટ્રમાં શિલ્ફાટા વચ્ચે ડબલ લાઇન હાઇ સ્પીડ 
રેલવેની ટેસ્ટિંગ અને કમિશનિંગ સહિત ટનલિંગ કાર્યો માટે અરજીઓ મંગાવી છે. ગુજરાતના 5300થી વધુ પ્લોટની જમીન સંપાદીત કરવામાં આવશે. જે મુજબ હાલમાં 2600 જેટલા પ્લોટ મેળવી લેવામાં આવ્યા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2023 સુધીમાં પુરો કરવાનો ટાર્ગેટ છે. 
મહારાષ્ટ્રમાં બોઇસર અને બાંદ્વા-કુર્લા કોમ્પ્લેક્સ વચ્ચે 21 કિલોમીટર લાંબી સુંદર ખોદવામાં આવશે, જેનો સાત કિલોમીટર ભાગ સમુદ્વની અંદર હશે. મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર સ્થિત જરોલી ગામ અને 
ગુજરાતમાં વડોદરા નજીક 237 કિલોમીટર લાંબા રેલ લાઇન કોરીડોરનું ટેસ્ટિંગ અને કમિશનિંગ સહિત સિવિલ અને બિલ્ડિંગ કાર્યોના ડિઝાઇન અને નિર્માણ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ગુજરાતના વાપી, બિલીમોરા, સુરત અને ભરૂચમાં પણ સ્ટેશનોના નિર્માણ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશનના સાબરમતી હબનું નિર્માણ કાર્ય શરૂ થઇ ગયું છે. 
ખેડૂતો એ જમીન સંપાદન મામલે એવો આક્ષેપ કર્યો છે કે 2011માં નક્કી કરેલી જંત્રી પ્રમાણે નહીં પરંતુ અમને આજે જમીનના જે ભાવ હોય તે ભાવ આપો અને વળતરની રકમ કેન્દ્ર સરકારની જમીન સંપાદન મુજબ ચુકવો. રાજ્ય સરકારના જમીનના સંપાદન અનુસાર ખેડૂતોને વળતર ઓછુ મળે છે.  તેમને જમીન અધિગ્રહણ કાયદો-2013 હેઠળ જણાવવામાં આવેલાં પુનઃસ્થાપન તથા પુનઃવસવાટ માટે પૂરતું વળતર ચૂકવવામાં આવ્યું નથી. NHAI દ્વારા હાઈવે માટે, રેલવે દ્વારા ફ્રૅઇટ કૉરિડોર અને હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે તેમના વિસ્તારમાં ફળદ્રૂપ જમીનનું નિકંદન નીકળી રહ્યું હોવાની રજૂઆત કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments