Webdunia - Bharat's app for daily news and videos

Install App

BRTS રૂટ પર વાહન હંકારતા 263 થી વધુ વાહન ચાલકો દંડાયા

Webdunia
સોમવાર, 2 ડિસેમ્બર 2019 (12:04 IST)
અમદાવાદમાં બીઆરટીએસ રૂટમાંથી બિન અધિકૃત રીતે પસાર થતા વાહનચાલકોને દંડવાની કામગીરી મ્યુનિ.તંત્ર દ્વારા હાથ ધરાઇ છે. જેમાં કોર્પોરેશન, પોલીસ, ટ્રાફિકની બનાવાયેલી સંયુક્ત ' જેટ ' ટીમ દ્વારા તા.૨૯ અને ૩૦ નવેમ્બરના છેલ્લા બે દિવસમાં ૨૬૩ થી વધુ વાહન ચાલકોને ૧, ૫૭, ૭૦૦ રૂપિયાનો દંડ ફટકારવામા ંઆવ્યો હતો.

બીઆરટીએસ રૂટ અકસ્માત ઝોન પુરવાર થઇ રહ્યા છે. ખૂલ્લા અને નધણિયાત બનેલા બીઆરટીએસ રૂટો પર ખાનગી વાહન ચાલકો બેફામપણે દોડી રહ્યા છે. જેના પરિણામે શહેરીજનોને બીઆરટીએસની ઝડપી અને સલામત સવારી પુરી પાડવાનો  મ્યુનિ.કોર્પોરેશનનો મૂળભૂત હેતું જ સરતો નથી.

ટ્રાફિકજામ, અકસ્માતનું કારણ બનેલા આ રૂટ પર હવે મ્યુનિ.તંત્ર દ્વારા અકસ્માતનું પ્રમાણ ઘટાડવા, જાહેર પરિવહનની સેવા ઝડપી-સલામત બનાવવા માટેની ઝૂંબેશ હાથ ધરાઇ છે. જેના ભાગરૂપે બીઆરટીએસ રૂટો પર બિનઅધિકૃત રીતે દોડતા ખાનગી વાહનચાલકોને ઝડપીને દંડવાની કામગીરી શહેરના તમામ સાતેય ઝોનમાં હાથ ધરવામાં આવી છે.

આ અંગે મ્યુનિ.કોર્પોરેશનમાંથી મળતી માહિતી મુજબ તા.૨૯ અને ૩૦ નવેમ્બરના રોજ કુલ ૨૬૩ વાહનચાલકોને દંડવામા ંઆવ્યા હતા. આ કામગીરી રોજ ચાલુ રખાશે. બીઆરટીએસ રૂટો પર તૂટી ગયેલા લોખંડની ઝાળીઓ, તૂટેલા રોડ અને બસ સ્ટેન્ડોની મરામત કરીને વાહનવ્યવહાર વધુ સરળ અને સલામત બનાવવા પ્રયાસ કરાશે. 

બીઆરટીએસ રૂટને સમાંતર રોડ પર ટ્રાફિકજામની સમસ્યા નિવારવા માટે રોડ પરના લારી-ગલ્લા અને શેડ પ્રકારના દબાણો તોડી પાડવાની પણ કામગીરી ઝૂંબેશના રૂપમાં હાથ ધરવામા ંઆવી છે. નોંધપાત્ર છેકે રાત્રિ દરમિયાન  ખૂલ્લા બીઆરટીએસ  રૂટો પર ખાનગી વાહનચાલકો પુરપાટ અને જોખમી રીતે વાહનો હંકારી રહ્યા છે. જે અવારનવાર અકસ્માતમા ંપરિણમે છે. મોટાભાગના અકસ્માત રાત્રિના ૧૦ વાગ્યાથી ૧ વાગ્યા સુધીના ગાળામાં થઇ રહ્યા છે. જે જીવલેણ પુરવાર થઇ રહ્યા છે.
 
 

સંબંધિત સમાચાર

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments