Webdunia - Bharat's app for daily news and videos

Install App

BRTSમાં હવેથી જૂનાં જનમિત્રકાર્ડ નહીં ચાલે, નવાં આપવાની વ્યવસ્થા ઊભી કરાઇ

Webdunia
શનિવાર, 18 ઑગસ્ટ 2018 (13:20 IST)
બીઆરટીએસ સેવાનો ઉપયોગ કરનારા ઉતારુઓ પૈકી અંદાજે ૨૫ થી ૩૦ હજાર ઉતારુઓ જનમિત્રકાર્ડ ધરાવે છે, જે પૈકી નિયમિત રીતે બીઆરટીએસ કાર્ડને ઉપયોગમાં લેનારા તો માત્ર નવ હજાર ઉતારુ છે, પરંતુ લાંબા સમયથી ઉતારુઓ દ્વારા જૂનાં જનમિત્રકાર્ડનો વપરાશ થઇ રહ્યો હોઇ આજથી તંત્ર દ્વારા જૂનાં જનમિત્રકાર્ડને બંધ કરાયાં છે. આમ તો તંત્ર દ્વારા બીઆરટીએસના ઉતારુઓ માટે નવાં જનમિત્રકાર્ડનું લોન્ચિંગ કરાયું છે. તેમ છતાં અનેક ઉતારુઓએ પોતાનાં જૂનાં જનમિત્રકાર્ડનો વપરાશ ચાલુ રાખ્યો છે,

જેના કારણે સત્તાવાળાઓ દ્વારા આવા ઉતારુઓને જૂનાં જનમિત્રકાર્ડના બદલે નવાં જનમિત્રકાર્ડ કઢાવી લેવાની વારંવાર અપીલ કરાતી હતી. તેમ છતાં જૂનાં જનમિત્રકાર્ડનો વપરાશ અટક્યો ન હતો એટલે આજથી જૂનાં જનમિત્રકાર્ડને બંધ કરી દેવાયાં છે તેમજ જૂનાં જનમિત્રકાર્ડનો ઉપયોગ આજથી દંડનીય અપરાધ ગણાશે. દરમિયાન સત્તાધીશો દ્વારા ઉસ્માનપુરાની પશ્ચિમ ઝોનની કચેરીએ આવેલા બીઆરટીએસના કંટ્રોલરૂમ ખાતે ઓફિસ અવર્સ દરમિયાન આગામી તા. ૨૪ ઓગસ્ટ સુધી જૂનાં જનમિત્રકાર્ડને મફતમાં બદલીને નવાં જનમિત્રકાર્ડ કઢાવી આપવાની વ્યવસ્થા ઊભી કરાઇ છે, જેમાં જૂનાં જનમિત્રકાર્ડનું બેલેન્સ પણ નવાં જનમિત્રકાર્ડમાં ટ્રાન્સફર કરી અપાશે.

સંબંધિત સમાચાર

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments