Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો ગુજરાતમાં એસ. ટી.બસના પૈડા કેમ અને કયા કારણોથી થંભી જશે

Webdunia
સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (15:14 IST)
રાજ્યમાં હજારોની સખ્યામાં લોકો રોજબરોજ એસટી બસમાં મુસાફરી કરતા હોય છે. કેટલાક લોકો દૈનિક રીતે એસટી બસનો ઉપયોગ કરતા હોય છે. જો તમે રોજ એસટી બસથી મુસાફરી કરતાં હોવ તો આગામી પાંચમી ફેબ્રુઆરીથી રાજ્યની એસટી બસના પૈડા થંભી જશે. સાતમાં પગારપંચ સહિત પ્રશ્ર્નોનું નિરાકરણ નહિ આવતાં એસટી કર્મચારીઓએ ૫મી ફેબ્રુઆરીથી હડતાળની ચીમકી ઉચ્ચારી હતી. જો તેમની માંગણીઓ સરકાર દ્વારા નહિ સ્વીકારવામાં આવે તો એસટી બસોના પૈડા થંભી જશે અને એસટીના ત્રણ યુનિયન દ્વારા સંયુક્ત આંદોલન કરવામાં આવશે. સાતમાં પગારપંચનો અમલ કરાવવા માટે એસટી બસના કર્મચારીઓ લાંબા સમયથી માગ કરી રહ્યા હતા. વાહનવ્યવહાર વિભાગ અને નિગમના અધિકારીઓ દ્વારા વારંવારની રજૂઆતો બાદ પણ માગણી સંતોષવામાં નહિ આવતા એસટી કર્મચારીઓના ત્રણેય યુનિયનોએ હાથ મિલાવી સરકાર સામે બાયો ચઢાવી છે અને જો હવે સાતમાં પગારપંચનો અમલ કરવામાં નહિ આવે તો ૫મી ફેબ્રુઆરીથી સરકાર વિરુદ્ધનું આંદોલન પુન:જીવિત કરવાની આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચાણક્ય નીતિઃ આ 5 સંકેતો તમારી આર્થિક સ્થિતિ તરફ કરે છે ઈશારો, તમે પણ જાણીને ચેતી જાવ

Baby Names: તમારા પુત્ર માટે અહીથી પસંદ કરો ઋગ્વેદથી પ્રેરિત નામ, સાથે જ જાનો તેનો અર્થ

આ કારણોથી શરીરમાં વધે છે બ્લડ પ્રેશર, જાણો High BP ને કંટ્રોલ કરવા માટે શુ કરવુ જોઈએ ?

બટાટા ચાટ મસાલા

Holi Special recipe- ઘુઘરા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

ગુજરાતી જોક્સ - તમે શું કરશો?

ગુજરાતી જોક્સ - પત્ની રોમેન્ટિક મૂડમાં

આગળનો લેખ
Show comments