Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરત - વરસાદી પાણીમાં બાળક તણાઈને ખુલ્લી ગટરમાં પડતા મોત

સુરત - વરસાદી પાણીમાં બાળક તણાઈને ખુલ્લી ગટરમાં પડતા મોત
Webdunia
સોમવાર, 16 જુલાઈ 2018 (11:20 IST)
સુરતના નાના વરાછા વિસ્તારમાં વરસાદી પાણીની ભમરીમાં બાળક તણાતા ગટરમાં પડી ગયું હતું. બાળકનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવ્યો હતો.  રવિવારે બપોરે જોરદાર વરસાદ વરસતા ભરાયેલા પાણીમાં રમવા નીકળેલા ચાર બાળકોમાંથી એક પાણીના પ્રવાહમાં ખેંચાયા બાદ કૂંડીમાં તણાઈ ગયો હતો. નાનાવરાછા, છીપવાડ મહોલ્લા પાસેના રામજી મંદિર રોડ મદીના મસ્જિદ પાસે વરસાદી પાણીના નિકાલ માટેની કૂંડી પરનું ઢાંકણું હટાવી દીધું હોય આ ઘટના બની હતી. આ ઘટનાને નજરે જોનારા લોકોએ બાળકને બચાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળતા મળતા ફાયરબ્રિગેડને જાણ કરાતા બાળકને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું.
 
બાળકનું નામ રોહન ભીલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોતાનો પુત્ર ગટરમાં પડી જવાની જાણ થતાં માતાના રૂદનથી દરેકનું હૈયુ કાંપી ઉઠ્યુ હતુ.  પાલિકાએ સ્થાનિક વિસ્તારના દુકાનદારે ઢાંકણું ખોલતા આ ઘટના બની હોવાનું જણાવ્યું હતું. જ્યારે સ્થાનિકો પાલિકાના જ કોઈ કર્મચારીએ ગટરનું ઢાંકણું ખોલી નાખ્યું હોવાનું કહી રહ્યાં છે. હવે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તપાસ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે.
 
બાળક રોહન જે ગટરમાં પડ્યો તેનો ઈનલેટ ચેમ્બરનો વ્યાસ બે થી અઢી ફૂટ છે. રોહન તેમાં આસાનીથી ગરકાવ થઈ ગયા બાદ 450 એમએમ (દોઢ ફૂટ)ની પાઈપ લાઈનમાંથી પસાર થઈ ને 1800 એમએમ (છ ફૂટ) મોટી સ્ટ્રોર્મ ડ્રેઈનમાંથી તણાઈ ને છેક રામજી ઓવારા પાસેના આઉટલેટ બહાર પાણીના વહેણમાં ખેંચાઇ ગયો હતો. રોહન જ્યાં પડ્યો તે રોડ પર ઢાળ હોવાને કારણે વહેણ વધુ હતું. આ આખી ઘટના સ્થાનિક વિસ્તારના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments