Dharma Sangrah

બોર્ડની પરીક્ષા આપનારા રીપીટર પરીક્ષાર્થીઓએ તેમની મુળ સ્કૂલમાંથી ફોર્મ ભરવું પડશે

Webdunia
બુધવાર, 29 જાન્યુઆરી 2020 (12:03 IST)
રિપીટર વિદ્યાર્થીઓએ જો સ્કૂલ બદલી હશે તો પણ તેણે અગાઉ રેગ્યુલર વિદ્યાર્થી તરીકે જે સ્કૂલમાંથી પરીક્ષા આપી હતી તે સ્કૂલમાંથી જ રિપીટર વિદ્યાર્થી તરીકે પરીક્ષાનું ફોર્મ ભરવાનું રહેશે તેવી સૂચના ડીઈઓએ તમામ સ્કૂલોને આપી છે. રિપીટર વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટે મૂળ સ્કૂલમાંથી ફોર્મ ન ભરાતાં અન્ય સ્કૂલમાંથી પરીક્ષા ફોર્મ ભર્યાં હોવાની બાબત બોર્ડને ધ્યાને આવી હતી. ઘણા વિદ્યાર્થીઓ એક સ્કૂલમાંથી પાસ ન થતા બીજી અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર થઈ જાય છે, પરંતુ રિપીટર વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટેનું ફોર્મ મૂળ સ્કૂલમાંથી જ ભરવું પડશે. બોર્ડે 27 મે, 1993ના પરિપત્રનો સંદર્ભ આપતા જણાવ્યું છે કે, રિપીટર વિદ્યાર્થીના ફોર્મ મૂળ સ્કૂલમાંથી જ ભરવું, જો વિદ્યાર્થીએ સ્કૂલ બદલી હોય તો પણ તેણે પરીક્ષા માટે તો મૂળ સ્કૂલમાંથી જ ફોર્મ મૂળ સ્કૂલમાંથી જ ભરવું પડશે. બોર્ડે જિલ્લા પ્રમાણે રિપીટર વિદ્યાર્થીનાં નામ ડીઈઓને મોકલ્યા છે. વિદ્યાર્થીઓના ફોર્મને આધારે બોર્ડ ફોર્મ તબદીલ કરી શકે છે અથવા રિપીટર વિદ્યાર્થીઓને ફરી ફોર્મ ભરવા જણાવી શકે છે, પરંતુ હજુ સુધી બોર્ડે કોઈ નિર્ણય જાહેર કર્યો નથી. આથી લિસ્ટ મળેલા તમામ આચાર્યોએ 31મીએ બોર્ડની કચેરીમાં બોલાવવામાં આવ્યા છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments