Webdunia - Bharat's app for daily news and videos

Install App

નડિયાદમાં કૂતરાના ત્રાસથી બચવા રશિયન સાઈન્ટિસ્ટના સમર્થન વાળો નવો આઈડિયા

Webdunia
શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2017 (12:32 IST)
રખડતાં કુતરાઓના ત્રાસથી બચવા માટે નડિયાદ શહેરના રહીશોએ સોસાયટીમાં તેમજ પોતાના ઘરની આગળ કાચની બોટલમાં ગળી ભેળવીને ભૂરા રંગનું પાણી મુકયું છે. આ બોટલ જોઇને કૂતરાઓ સોસાયટી વિસ્તારમાં ફરકતા જ નથી. આ કિમિયો જોઇને અન્ય સોસાયટીના રહિશોએ પણ પોતાના વિસ્તારમાં આ નુસખો અપનાવ્યો છે. અમિતભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, સોસાયટી વિસ્તારમાં રખડતાં કૂતરાઓનો ત્રાસ ખુબ જ હોય છે. સાથે સાથે સવારના સમયે તેઓ સોસાયટી વિસ્તારમાં ઘર પાસે ગંદકી કરતાં હોય છે. રશિયન સાયન્સટિસ્ટ દ્વારા કરવામાં આવેલ સંશોધનમાં કૂતરો ભૂરો અને પીળો કલર પણ પારખી શકે છે એ વાતને સમર્થન મળ્યુ છે. જે બાબતે નગરપાલીકામાં પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ આ બાબતે કોઇ જ કાર્યવાહી થતી નહતી. જેથી આ સંદર્ભે પ્રાણીઓના એક ડોકટર સમાજિક પ્રસંગે સંપર્કમાં આવ્યા હતા. જેથી તેઓએ પ્લાસ્ટિક અથવા કાચની બોટલમાં ગળીનું પાણી ભરીને સોસાયટીમાં મુકી દેવાની સલાહ આપી હતી. જેથી અમે અમારી માનવ સોસાયટીમાં આ કિમિયાનો અમલ કર્યો હતો. આ પ્રયોગ કરતાં છેલ્લા એક અઠવાડિયાથી કુતરાઓ આવતા નથી. જે જોઇને બાજુની અમેરિકન સોસાયટીમાં પણ આજ રીતે ગળી ભરેલી બોટલ મુકવામાં આવી છે. જે એક સંશોધનનો વિષય કહી શકાય. વેટેનરી ડોક્ટરનું કહેવું છે કે સામાન્ય રીતે શ્વાન કોઇપણ રંગ ઓળખવાની પારખ શકિત ધરાવતા નથી. તેઓને કોઇ પણ કલરનું કનવર્ઝન કાળો અને સફેદમાં કરતો હોય છે. પરંતુ રશિયન સાયન્સટિસ્ટ દ્વારા આ બાબતે સંશોધન થયા છે. જેમાં શ્વાન ભૂરો અને પીળો કલર પણ પારખી શકે છે. પરંતુ હાલ શ્વાન દૂર ભાગી રહ્યાં છે તે કદાચ હંગામી ભય હોઇ શકે. આ એક એનિમલ બિહેવિયર અને સંશોધનનો વિષય છે.

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments