Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો ભાજપના કાર્યકરોએ ભાજપ સરકારના કયા મંત્રીને ગૃપમાંથી હાંકી કાઢ્યા

Webdunia
મંગળવાર, 19 નવેમ્બર 2019 (13:10 IST)
ભાજપે ભલે કોંગ્રેસમાંથી આવેલા કુંવરજી બાવળિયાને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રીપદે બેસાડી પોંખ્યા હોય પણ સ્થાનિક સ્તરે તેમનો વિરોધ વધી રહ્યો છે. સોમવારે ભાજપના પાયાના કાર્યકરોએ પેરાશુટ કુંવરજીને ટીમ- ભાજપ જસદણ ગ્રુપમાંથી રિમૂવ કરી કાઢયા હતા. ભાજપના ગ્રુપમાંથી મંત્રીની હકાલપટ્ટીના સમાચાર વાઈરલ થતા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં જ્યાં પણ પેરાશુટ ઉતર્યા છે ત્યાંના સ્થાનિક ભાજપમાં હૈયાહોળી સળગી છે. રાજકોટના જસદણમાં કુંવરજી બાવળિયાના ભાજપ પ્રવેશ અને ધારાસભ્યપદ વગર મંત્રીપદની લ્હાણી થઈ ત્યારથી જ સ્થાનિક કાર્યકરોમાં વિરોધ હતો. તે વખતે પ્રદેશ ભાજપના નેતાઓએ ભાજપના પૂર્વ ધારાસભ્ય ડો. ભરત બોઘરાને સરકારી બોર્ડમાં ચેરમેનપદ આપીને સાચવી લીધા હતા. જો કે, ત્યારપછી લોકસભા ચૂંટણીમાં જસદણમાં ભાજપની લીડ ઘટતા વર્ષોથી ભાજપ માટે મહેનત કરનારા સ્થાનિક નેતા- કાર્યકરોમાં પેરાશુટ મંત્રી કુંવરજી બાવળિયા સામે વિરોધ તીવ્ર થયો હતો. તાજેતરમાં જ આ વિસ્તારમાં સરકારી લોકાપર્ણના કાર્યક્રમના આમંત્રણ પત્રિકામાંથી ડો.બોઘરાનું નામ કાપી દેવાતા સ્થાનિક ભાજપમાં કુંવરજી સામેના વિરોધમાં તેલ રેડાયુ હતુ. આ વિવાદની વચ્ચે નવા સંગઠનની રચનાટાણે જ ટીમ ભાજપ- જસદણ નામના વોટ્સએપ ગ્રુપમાંથી કબિનેટ મંત્રી કુંવરજીને સ્થાનિક કાર્યકરે રિમૂવ કરતા ભાજપના સેંકડો વોટ્સએપ ગ્રુપોમાં હોહા મચી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments