Dharma Sangrah

ભાજપને જૂથવાદ,એન્ટીઇન્કમ્બન્સી નડવાની દહેશતને લીધે લોકસભાની બેઠક દીઠ ચૂંટણીલક્ષી એનાલિસિસ શરૃ

Webdunia
સોમવાર, 11 જૂન 2018 (11:41 IST)
લોકસભાની ચૂંટણીઓને આડે એકાદ વર્ષની વાર છે તેમ છતાંય ભાજપે અત્યારથી તૈયારીઓ શરુ કરી દીધી છે. ગુજરાતની લોકસભાની બેઠક દીઠ શુ વર્તમાન પરિસ્થિતી છે તેનુ એનાલિસિસ શરુ કરી દેવાયુ છે. જોકે,ભાજપના નેતાઓ જ આ વાતને સ્વિકારી રહ્યાં છેકે, આ વખતે ભાજપને આંતરિક જૂથવાદ જ નહીં,એન્ટીઇન્કમ્બન્સી નડી શકે છે. આ કારણોસર ભાજપે અત્યારથી નબળી કહી શકાય તેવી દસેક બેઠકો પર ધ્યાન કેન્દ્રીત કરવા રણનીતિ ઘડી છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં ૨૬ બેઠકો જાળવવી ભાજપ માટે અઘરું છે. કોંગ્રેસ માટે તો વકરો એટલો નફો જેવી સ્થિતી છે.ગુજરાતમાં આ વખતે ભાજપના નેતાઓના માથે ઠીકરું ફુટવાનુ નક્કી છે. બીજુ બાજુ,ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસિમાએ પહોંચ્યો છે. આ ઉપરાંત ખેડૂતો,દલિતો,પાટીદારો ભાજપથી મોં ફેરવીને બેઠા છે.મોંઘવારી સહિતના પ્રશ્નોથી આમજનતા ય ભાજપથી ખફા છે. આ સંજોગોમાં એન્ટીઇન્ક્મબન્સી પણ ભાજપ માટે રાજકીય મુસીબત ઉભી કરશે. સૂત્રો કહે છેકે, અમરેલી,સુરેન્દ્રનગર, આણંદ, બ.કાં,સા. કાં, જૂનાગઢ, મહેસાણા, ભરુચ,પાટણ,આણંદ બેઠકો પર આ વખતે ભાજપને જીતવી મુશ્કેલ છે. વિધાનસભાની બેઠકો જોતા આ બેઠકો પર કોંગ્રેસનું પલ્લુ ભારી છે. આ કારણોસર ભાજપને આ દસેક નબળી બેઠકો પર અત્યારથી જ ધ્યાન કેન્દ્રીય કરી અધિકારીઓને ય પ્રજાલક્ષી કામો ઝડપી કરવા સૂચનાઓ આપી છે. સાંસદો-ધારાસભ્યોને પોતાના જ મત વિસ્તારમાં રહીને લોકોના કામો કરવા જણાવાયુ છે.  છેલ્લા કેટલાંય વખતથી ભાજપના વયોવૃધ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભાજપે જાણે હાંસિયામાં ધકેલી દીધા છે.ભાજપના આંતરિક સૂત્રો જણાવે છેકે, આ વખતે લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગર બેઠક પર ચૂંટણી લડશે નહીં.આ વખતે અડવાણીના પુત્રીને ભાજપ મેદાનમાં ઉતારવા માંગે છે. નારાજ અડવાણીની સહાનુભૂતિ જીતવા ભાજપે આ રણનીતિ ઘડી છે.અડવાણી આ બેઠક પર ચૂંટણી લડવા માંગતા નથી જેથી તેમને મનાવવાનો ય પ્રયાસ થઇ રહ્યો છે.  ભાજપના સાંસદોની કામગીરીથી મત વિસ્તારની જનતા નાખુશ છે તેવી વ્યાપક ફરિયાદો હાઇકમાન્ડ સુધી પહોંચી છે. ભાજપના આંતરિક સર્વેમાં ય આ વાત ખુલીને બહાર આવી છે. આ સંજોગોમાં આ વખતે ૫૦ ટકા સાંસદો રિપિટ નહી થાય.બલ્કે નવા ચહેરાને ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતારશે. જોકે,ભાજપે અત્યારથી જ અંદરખાને નવા મૂરતિયાઓની શોધખોળ આદરી છે.લોકસભાની કઇ બઠક પર કયા સ્થાનિક,રાજકીય સમીકરણ આધારે ટિકિટ આપવી તેની અત્યારથી જ મથામણ કરવામાં આવી રહી છે.  અત્યારે રુપાણી સરકારનુ વિસ્તરણ થાય તેવી કોઇ સ્થિતી નથી.કર્ણાટકની પ્રવાહી રાજકીય પરિસ્થિતી પહેલાં ગુજરાતમાં વિસ્તરણની અફવા ફેલાઇ હતી. સૂત્રો કહે છેકે,આંતરિક જૂથવાદ ઉપરાંત ધારાસભ્યોની અસંતોષની જવાળાને લીધે શક્ય થશે તો લોકસભાની ચૂંટણી વખતે વિસ્તરણ થઇ શકે છે.આ શક્યતાને પગલે દાવેદાર ગણાતા ધારાસભ્યોને વિસ્તરણનુ ગાજર દેખાડીને અત્યારે ચૂંટણીના કામે લાગી જવા સૂચના આપી દેવાઇ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Chutney recipe- દહીંની ચટણી

હાર્ટ એટેક આવે ત્યારે દર્દીને પાણી પિવડાવવું જોઈએ કે નહિ, ડોક્ટર પાસેથી જાણો હાર્ટ અટેક આવે ત્યારે શું કરવું શું નહિ ?

તમારા જીવનસાથી સાચું બોલી રહ્યા છે કે ખોટું, તે કેવી રીતે જાણી શકાય? આ ક્રિયાઓ સંકેતો આપે છે.

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

Rose Day 2026- રોઝ ડે પર તમારી ગર્લફ્રેન્ડને કેવી રીતે ઈમ્પ્રેસ કરવી

વધુ જુઓ..

નવીનતમ

Valentine Day jokes - વેલેંટાઈન સ્પેશ્યલ જોક્સ

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

ટીઝર પહેલા Dhurandhar 2 નુ પોસ્ટર થયુ જાહેર, Toxic ને ટક્કર આપવા માટે 5 ભાષાઓમાં થશે રિલીઝ

Border 2 Box Office Collection:સની દેઓલની ફિલ્મએ આ 10 વોર ફિલ્મના બધા રેકોર્ડ તોડ્યા

આગળનો લેખ
Show comments