Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના દરિયાકિનારે ‘બિપરજોય’ ટકરાશે નહીં, દરિયાકાંઠે કોઈ અસર નથી; હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતના દરિયાકિનારે ‘બિપરજોય’ ટકરાશે નહીં  દરિયાકાંઠે કોઈ અસર નથી  હવામાન વિભાગે કરી આગાહી
Webdunia
ગુરુવાર, 8 જૂન 2023 (13:12 IST)
અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે તેવી વાતનો હાલ પૂરતો અંત આવી ગયો છે. આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતના કિનારે વાવાઝોડું ટકરાશે નહીં, એટલે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ હાલ પૂરતું અટકી ગયું છે. પાંચ દિવસ બાદ નક્કી થશે કે, વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે કે અન્ય તરફ ફંટાયું છે, હાલ પૂરતી ગુજરાતના માથેથી ઘાત ટળી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું બીપરજોય ગમે ત્યારે મહારાષ્ટ્ર કે ગુજરાતના દરિયાકાંઠે આવશે તેવી અટકળો થઈ રહી હતી. વાવાઝોડાની તિવ્રતા વધારે હોવાથી ઘણી જગ્યાએ દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. આ બધાની સાથે સુરક્ષા તંત્ર અને સરકાર પણ વ્યવસ્થામાં ગોઠવાઈ ગઈ હતી. તાજેતરમાં મળતી માહિતી પ્રમાણે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી આવ વાવાઝોડું ગુજરાતના તટે આવે તેવી શક્યતા ન હોવાનું અનુમાન કર્યું છે. જેથી પાંચ દિવસ સુધી ગુજરાતના દરિયામાં વાવાઝોડું ન આવે તેવી સ્થિતિ સર્જાઇ છે, હજી વાવાઝોડું છે કે નહીં તે સ્પષ્ટ થયું નથી.

હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, હાલ પૂરતું એવું કહી શકાય નહીં કે, વાવાઝોડું ફંટાયું છે, પરંતુ પાંચ દિવસ સુધી ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડાની અસર દેખાશે નહીં. પાંચ દિવસ બાદ સ્પષ્ટ થશે કે, વાવાઝોડાની અસર અહીં રહેશે કે નહીં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

મુલતાની માટીમાં આ 3 વસ્તુઓ મિક્સ કરો, તમારા ચહેરાની ચમક વધશે.

બોધવાર્તા વૃદ્ધ મહિલાની હોશિયારી

દરરોજ સવારે પીવો આ ઔષધીય પાણી, હ્રદય સંબંધિત રોગોનું જોખમ ઘટશે

Sugar Vs Jaggery: સ્વાસ્થ્ય માટે શુ સારુ છે ખાંડ કે ગોળ ? જાણો તેના ફાયદા

વધુ જુઓ..

નવીનતમ

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

આગળનો લેખ
Show comments