Webdunia - Bharat's app for daily news and videos

Install App

CCTV હશે તેવી શાળાઓમાં જ બિન સચિવાલની પુન: પરીક્ષા લેવાશે: નીતિન પટેલ

Webdunia
શનિવાર, 7 માર્ચ 2020 (13:32 IST)
હાલ ચાલી રહેલી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા પછી વેકેશનમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં કરી છે. તે સાથે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે, એલઆરડીની ભરતી પ્રક્રિયામાં પણ કેટલાક વિરોધીઓ અને રાજકીય પક્ષો દ્વારા ગુજરાતની શાંતિ હણવા અને યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તે સફળ રહ્યો ન હતો.

વિધાનસભામાં પૂરક વિનિયોગ વિધેયક રજૂ કરતા ડે. સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનોને રોજગારી આપવા માટે વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવીને ભરતી પ્રક્રિયા કરાય છે. બિન સચિવાલય પરીક્ષાની ભરતીમાં વિદ્યાર્થીઓને નુકસાન ન થાય એ માટે પેપર લીકની ઘટના બનતાં સરકારે તાત્કાલિક પરીક્ષા મુલતવી રાખીને સીટ દ્વારા તપાસના આદેશ આપી ષડયંત્ર પકડી પાડયું હતું. હવે પારદર્શિતાથી બોર્ડની પરીક્ષા બાદ વેકેશનમાં તે પરીક્ષા યોજાશે. સીસી ટીવી કેમેરા હોય તેવી શાળામાં પરીક્ષા લેવાશે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments