Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંકલેશ્વરમાંથી મોટા ડ્રગ્સ રેકેટનો ભંડાફોડ, 5000 રૂપિયાનુ કોકિન જપ્ત, દિલ્હી સુધી સપ્લાય, જાણો શુ છે મામલો

ન્યુઝ ડેસ્ક
સોમવાર, 14 ઑક્ટોબર 2024 (10:08 IST)
એશિયાના સૌથી મોટા ઔધોગિક ક્ષેત્ર અંકલેશ્વરમાંથી એકવાર ફરી ડ્રગ્સનો કાળો વેપાર પકડાયો છે. નશા વિરુદ્ધ કેન્દ્ર સરકારની જીરો ટોલરેંસ નીતિ અને નશા મુક્ત ભારત અભિયાન હેઠળ દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે સંયુક્ત અભિયાન ચલાવ્યુ હતુ. જેમા સફળતા મળી છે. સંયુક્ત ઓપરેશનમાં અંકલેશ્વરથી 5000 કરોડ રૂપિયાની 518 કિલોગ્રામ કોકિન જપ્ત થઈ છે. આ પહેલા દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે 1 ઓક્ટોબર 2024ના રોજ મહિપાલપુરમાં તુષાર ગોયલ નામના વ્યક્તિના ગોદામ પર છાપામારી કરીને 562 કિલોગ્રામ કોકેન અને 40 કિલોગ્રામ હાઈડ્રોપોનિક મારિજુઆનાનો જથ્થો જપ્ત કર્યો હતો. 

<

#WATCH | Bharuch, Gujarat: Delhi Police Special Cell and Gujarat Police recovered 518 kg of cocaine during a search of a drug-related company in Ankleshwar, Gujarat. Its value in the international market is around Rs 5,000 crore...So far, a total of 1,289 kg cocaine and 40 kg… https://t.co/s73aKaoXNi pic.twitter.com/O7nMEl2go6

— ANI (@ANI) October 14, 2024 >
 
દેશભરમાં ખળભળાટ મચાવનારા આ કેસમાં કેવી રીતે ડ્રગ્સ પકડાયું તે પણ રસપ્રદ છે. ગત 1 ઓક્ટોબર 2024ના રોજ દિલ્હીની સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં તુષાર ગોયલના વેરહાઉસમાં દરોડા પાડ્યા હતા.આ દરોડા દરમિયાન 562 કિલો કોકેઈન મળી આવ્યું અને 40 કિલોગ્રામ જેટલો હાઈડ્રોપોનિક ગાંજો પણ મળ્યો હતો.
 
માહિતી અનુસાર, દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સ્પેશિયલ સેલે આજે, 13 ઓક્ટોબર, 2024 ના રોજ, ગુજરાતના અંકલેશ્વરમાં અવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીની શોધખોળ દરમિયાન 518 કિલો કોકેન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 5,000 કરોડ રૂપિયા છે. પોલીસની સ્પેશિયલ સેલે 1 ઓક્ટોબર, 2024ના રોજ મહિપાલપુરમાં કોકેન જપ્ત કર્યું હતું. આ પછી, 10 ઓક્ટોબર, 2024 ના રોજ તપાસ દરમિયાન, દિલ્હીના રમેશ નગરમાં એક દુકાનમાંથી લગભગ 208 કિલો વધારાનું કોકેન મળી આવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Baba Siddiqui Murder- યુપીના શૂટર્સનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી, હરિયાણામાં હત્યાનો આરોપી

પોતાની જાતને મૃત સાબિત કરીને પ્રેમી સાથે ભાગી ગઈ યુવતી, જ્યારે તે પાછી આવી ત્યારે પિતાએ તેને ભૂત સમજી તેનો પીછો કર્યો, જાણો સમગ્ર મામલો

મુરાદાબાદ: સગીર બહેન પર અત્યાચાર ગુજાર્યો, ગર્ભવતી હતી ત્યારે એસિડ પીવડાવ્યું, હાલત બગડી, હોસ્પિટલમાં દાખલ

દિવાળી પર હવાઈ પ્રવાસીઓને મોટી ભેટ, 20-25 ટકા ડિસ્કાઉન્ટ

બદ્રીનાથ ધામના દરવાજા 17 નવેમ્બરે બંધ રહેશે, 13થી 15 નવેમ્બર સુધી પંચ પૂજા થશે

આગળનો લેખ
Show comments