Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધો.10માં નાપાસ થનાર વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસ કરી શકશે, જૂની માર્કશીટના આધારે પ્રવેશ મળશે

Webdunia
મંગળવાર, 25 એપ્રિલ 2023 (15:29 IST)
ધો.10ના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય- ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. ધોરણ 10માં ભણતા વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં નાપાસ થાય તો બીજા વર્ષે વિદ્યાર્થીને નિયમિત વિદ્યાર્થી તરીકે જ સ્કૂલમાં જ પ્રવેશ આપવામાં આવશે. અગાઉ આ નિયમ હતો, પરંતુ 3 વર્ષ અગાઉ નિયમ રદ કરવામાં આવ્યો હતો. આ નિયમ શૈક્ષણિક વર્ષ 2023-24થી લાગુ કરવામાં આવશે.

નિયમિત વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ જૂની માર્કશીટ સ્કૂલમાં જમા કરાવવાની રહેશે.ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીઓ જ્યારે બોર્ડની પરીક્ષામાં નાપાસ થાય ત્યારે વિદ્યાર્થીઓને એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે ફરીથી પરીક્ષા આપવી પડતી હતી. આ અંગે શાળા સંચાલક મંડળે અગાઉ શિક્ષણ વિભાગને રજુઆત કરી હતી કે, ધોરણ 10માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નિયમિત વિદ્યાર્થી તરીકે જ સ્કૂલમાં ફરીથી પ્રવેશ આપવામાં આવે. આ અંગે સંચાલકો આજે શિક્ષણ વિભાગ વચ્ચે બેઠક પણ થઈ હતી. આ બેઠકને હકારાત્મક અભિગમ મળ્યો છે.ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, અગાઉ ગુજરાત બોર્ડમાં જોગવાઈ હતી કે, ધોરણ 10માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને ફરીથી સ્કૂલમાં પ્રવેશ આપવો. પરંતુ 2021માં આ જોગવાઈમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેથી અમે શિક્ષણ વિભાગને રજુઆત કરી હતી. જેના પરિણામ શિક્ષણ વિભાગ આગામી બોર્ડના જોગવાઈમાં ફેરફાર કરશે. આગામી જૂન મહિનાથી ધોરણ 10માં નાપાસ થનારને એડમીશન આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ જૂની માર્કશીટ જમા કરાવીને એડમિશન મેળવવાનું રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments