Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિડેને અલગ રીતે કર્યા મોદીના વખાણ, કહ્યું- આ મજાક નથી... તમે ખરેખર મારા માટે માથાનો દુખાવો બની રહ્યા છો

Webdunia
રવિવાર, 21 મે 2023 (11:28 IST)
રાજીવ ગાંધીની હત્યા હાર પહેરાવવા આવેલી છોકરીએ કઈ રીતે કરી હતી?
 
ભારતની ધરતી ઉપર આ પહેલો આત્મઘાતી વિસ્ફોટ હતો, જેને એક મહિલાએ અંજામ આપ્યો હતો. એ વિસ્ફોટમાં કૉંગ્રેસના યુવા નેતા તથા પાર્ટીના વડા પ્રધાનપદના ઉમેદવાર રાજીવ ગાંધીનું મૃત્યુ થયું હતું.  એ સમયે મંચ ઉપરથી રાજીવ ગાંધીના સન્માનમાં એક ગીત ગવાઈ રહ્યું હતું, 'રાજીવ ગાંધીનું જીવન અમારું જીવન છે, જે જીવન ઇંદિરા ગાંધીના દીકરાને સમર્પિત નથી, તે જીવન શું જીવન છે?'
 
17 મેના રોજ જ રાજીવ ગાંધીનો કાર્યક્રમ સાર્વજનિક થયો હતો તો તામિલ ઉગ્રવાદીઓ માત્ર ચાર દિવસમાં જ આટલું મોટું પ્લાનિંગ કરી શક્યા હતા, જે ચોંકાવનારી બાબત હતી. ત્યારથી લગભગ થોડા અંતરે જ 'ગલ્ફ ન્યૂઝ'નાં સંવાદદાતા તથા વરિષ્ઠ પત્રકાર નીના ગોપાલ હતાં, જેઓ રાજીવ ગાંધીનાં સહયોગી સુમન દુબે સાથે વાતચીત કરી રહ્યાં હતાં. 
 
આગળ જતાં તેમણે 'ધ અસૅસિનેશન ઑફ રાજીવ ગાંધી' નામનું પુસ્તક લખ્યું. આ સિવાય સીબીઆઈની એસઆઈટીના વડા ડીઆર કાર્તિકેયને પણ પોતાના પુસ્તક 'ધ રાજીવ ગાંધી અસૅસિનેશન: ધ ઇન્વેસ્ટિગેશન'માં પણ અંતિમ સમયની સ્થિતિ તથા તપાસની જટિલતા વિશે લખ્યું છે.
 
'મારી નજર સામે વિસ્ફોટ થયો'
 
રાજીવ ગાંધીની ચૂંટણીપ્રચાર યાત્રાને કવર કરવા માટે પહોંચેલાં પત્રકાર નીના ગોપાલ યાદ કરતાં કહે છે, "મારી અને સુમનની વાત થયાને બે મિનિટ પણ નહોતી થઈ કે મારી સામે એક બૉમ્બ ફાટ્યો. સામાન્ય રીતે હું સફેદ કપડાં નહોતી પહેરતી, પરંતુ એ દિવસે ઉતાવળમાં મેં સફેદ સાડી પહેરી હતી. "
 
"વિસ્ફોટ બાદ મેં મારી સાડી તરફ જોયું તો એ કાળી પડી ગઈ હતી, એના પર માંસ લોચા તથા લોહી ચોટ્યાં હતાં. એ ચમત્કાર જ હતો કે હું બચી ગઈ હતી, મારી આગળ રહેલાં બધા લોકોએ એ વિસ્ફોટમાં મૃત્યુ પામ્યા હતા."
 
નીના જણાવે છે, "બોમ્બ વિસ્ફોટ પહેલાં પટ-પટ-પટ ફટાકડાં ફૂટવાનો અવાજ થયો અને પછી ભારે હૂશ જેવો અવાજ આવ્યો અને જોરદારના વિસ્ફોટ સાથે બૉમ્બ ફાટ્યો."
 
"મેં આગળ જઈને જોયું તો લોકોનાં કપડાં સળગી રહ્યાં હતાં, તેઓ ચીસાચીસ કરી રહ્યા હતા. ચોમેર નાસભાગ મચી ગઈ હતી. રાજીવ ગાંધી હયાત છે કે નહીં, તેના વિશે પણ અમે જાણતાં ન હતાં."
 
આ ઘટનાના થોડા સમય પહેલાં જ ઇરાકે અખાદના દેશ કુવૈત પર કબજો કર્યો હતો. તેના દ્વારા પાથરવામાં આવેલી માઇન્સને ફ્રાન્સના સુરક્ષાબળો દ્વારા નિષ્ક્રિય કરવામાં આવતી. આ ઑપરેશન્સને નજરે જોનારાં નીનાને સમજતાં વાર ન લાગી કે શું બન્યું છે.
 
રાજીવ ગાંધી જ્યાં ઊભા હતા, એ તરફ નીના આગળ વધ્યાં. તેઓ કહે છે, "હું જેટલે આગળ સુધી જઈ શકતી હતી, એટલે આગળ સુધી ગઈ. ત્યારે મને રાજીવ ગાંધીનું શરીર દેખાયું. મેં તેમના લોટ્ટો (Lotto) જૂતાં અને હાથમાં ગુચ્ચી (GUCCI)ની ઘડિયાળ જોઈ. થોડા સમય પહેલાં જ કારમાં પાછલી સીટ ઉપર બેસીને હું તેમનો ઇન્ટરવ્યૂ કરી રહી હતી. તેઓ આગળ ડ્રાઇવરની બાજુની સીટ ઉપર બેઠા હતા. એટલે એ ઘડિયાળ વારંવાર મારી નજરની સામે આવી રહી હતી."
 
રાજીવ ગાંધીની શોધખોળ
 
એ પછી તામિલનાડુ કૉંગ્રેસનાં ત્રણ દિગ્ગજ નેતા જીકે મૂપનાર, જયંતી નટરાજન તથા રામૂર્તી ત્યાં હાજર હતાં. 20 ફૂટ ઊંચે ઊડતો ધુમાડો થોડો વિખેરાયો એટલે રાજીવ ગાંધીને શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી.
 
તેમના શરીરનો એક ભાગ ઊલટો પડ્યો હતો, તેમનું કપાળ ફાટી ગયું હતું અને બાકીનો ભાગ તેમના સુરક્ષા અધિકારી પીકે ગુપ્તાના પગ પાસે પડેલો હતો, જેઓ અંતિમશ્વાસ ગણી રહ્યા હતા.
 
આગળ જતાં જીકે મૂપનારે એક જગ્યાએ લખ્યું, "વિસ્ફોટને પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ. મારી સામે અનેક ક્ષત-વિક્ષત મૃતદેહો પડેલા હતા. રાજીવ ગાંધીના સુરક્ષાઅધિકારી પ્રદીપ ગુપ્તા હજુ જીવિત હતા. તેમણે મારી તરફ જોયું. કંઇક બોલ્યા અને પછી મારી નજર સામે જ દેહ છોડી દીધો. એવું લાગ્યું કે તેઓ રાજીવ ગાંધી વિશે માહિતી મેળવવા માગતા હતા. મેં તેમનું માથું ઊંચકવાનો પ્રયાસ કર્યો, પરંતુ મારા હાથમાં માત્ર માંસના લોચા અને લોહી જ આવ્યાં, મેં ટુવાલથી તેમને ઢાંકી દીધાં."
 
મૂપનારથી થોડે દૂર જ જયંતી નટરાજન અવાચક ઊભાં હતાં.
 
બાદમાં તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું, "તમામ પોલીસવાળા નાસી છૂટ્યા હતા. હું મૃતદેહોને જોઈ રહી હતી, એ આશાએ કે રાજીવ ગાંધી દેખાઈ જાય. પહેલાં મારી નજર પ્રદીપ ગુપ્તા પર પડી.... તેમના ઘૂંટણ પાસે જમીન તરફ એંક મોં પડ્યું હતું...મારા મોં માંથી સરી પડ્યું, ઓહ માઈ ગોડ......ધિસ લૂક્સ લાઇક રાજીવ."
 
રાજીવ ગાંધી, ડિસ્ટ્રિક્ટ પોલીસ સુપરિન્ટેનડન્ટ મહમદ ઇકબાલ સહિત 15 લોકોનાં મૃત્યુ થયાં હતાં, મૃતકોમાં નવ સુરક્ષાકર્મી હતા જ્યારે 43 અન્યોને ઈજા પહોંચી હતી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments