Webdunia - Bharat's app for daily news and videos

Install App

હીરાવેપારીની અપહરણ બાદ હત્યાની ફરિયાદ

Webdunia
રવિવાર, 22 સપ્ટેમ્બર 2024 (17:03 IST)
ભાવનગરના એક હીરાના વેપારીનો મૃતદેહ અમરેલીના બાબરા ખાતેથી મળી આવ્યો છે.
 
ભાવનગર ખાતેના આ વેપારીનું નામ ધીરુભાઈ ઉકાભાઈ રાઠોડ છે.
 
પોલીસના જણાવ્યા પ્રમાણે આ વેપારીનું પૈસાની લેવડદેવડમાં અપહરણ કરાયું હતું અને ત્યારબાદ તેમની હત્યા કરવામાં આવી હતી.
 
પોલીસના જણાવ્યા પ્રમાણે હીરાના આ વેપારીની હત્યાના ત્રણ આરોપીને બાબરાથી ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ ધીરુભાઈની હત્યા કરીને તેમના મૃતદેહનો નિકાલ કરવા માટે તેને કૃષ્ણનગર વિસ્તારમાં સળગાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો.
 
ભાવનગર જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈએ બીબીસી સહયોગી અલ્પેશ ડાભીને જણાવ્યું હતું, “બાબરા પોલીસ જ્યારે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને સૂચના મળી કે કોઈ શંકાસ્પદ ગાડી કૃષ્ણનગર ખાતે ગઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને જોયું તો ત્યાં એક સફેદ કારમાં ત્રણ શંકાસ્પદો મળી આવ્યા હતા. તેમની નજીક કંઇક સળગતું નજરે પડ્યું હતું. પોલીસે વધુ જાણકારી મેળવી તો ખબર પડી કે કોઈ મૃતદેહને સળગાવવાનો પ્રયત્ન થયો હતો. અમે ત્રણેય શંકાસ્પદની પૂછપરછ શરૂ કરી છે અને મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલ્યો છે તથા તેની ફોરેન્સિક તપાસ કરાવડાવી છે.”

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં કાર અને કન્ટેનરની ટક્કર, ચારના મોત

દીકરો વિદેશ કમાવવા ગયો, દિયર સાથે સેક્સ કરતા મળી વહુ, સસરાએ જોઈને કર્યુ આ કામ

સ્કૂલમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીની કથિત છેડતીની પોલીસ ફરિયાદ, શિક્ષકની ધરપકડ

ઈરાનમાં કોલસાની ખીણમાં વિસ્ફોટ, 30 લોકોના મોત, 17 ઘાયલ

શ્રીલંકામાં પ્રથમ વખત રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન બાદ સુરક્ષામાં વધારો, દેશમાં કર્ફ્યૂ

આગળનો લેખ
Show comments