Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો

Webdunia
સોમવાર, 22 જૂન 2020 (16:04 IST)
ગુજરાતમાં કોરોના વાયરસનું સ્વરૂપ હવે ભયંકર સ્થિતિમાં પલટવા લાગ્યું છે. રાજકારણીઓ પણ ધીરે ધીરે કોરોનાની ઝપેટમાં ચડવા માંડ્યાં છે. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા જ્યારે સીએમ રૂપાણીને મળવા ગાંધીનગર ગયાં હતાં ત્યાર બાદ તેમનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ એક પછી એક નેતાઓ અને ધારાસભ્યો પણ કોરોનાનો ભોગ બનવા માંડ્યાં છે. ત્યારે હવે કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ હાલ વડોદરા શહેરના માંજલપુરમાં આવેલી બેન્કર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર હતાં. ગઈકાલે કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. થોડો તાવ અને તબિયત નાદુરસ્ત હોવાથી તેમને રિપોર્ટ કરાવ્યો હતો. રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના મોટા નેતાઓ-ધારાસભ્યો અને પત્રકારો  સાથે હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

આગળનો લેખ
Show comments