Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ વખતે યોજાશે નહી ભાદરવી પૂનમનો મેળો, બે-ત્રણ દિવસમાં થશે જાહેરાત

આ વખતે યોજાશે નહી ભાદરવી પૂનમનો મેળો  બે-ત્રણ દિવસમાં થશે જાહેરાત
Webdunia
બુધવાર, 15 જુલાઈ 2020 (12:15 IST)
રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે દિવસે ને દિવસે સ્થિતિ બેકાબૂ બનતી જાય છે. ધીમે ધીમે ગુજરાત સ્વૈચ્છિક લોકડાઉન તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે ફરી એકવાર મંદિરો લોકડાઉન થઇ રહ્યા છે. ત્યારે શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો યોજાનાર મેળો આ વર્ષે યોજાશે નહી. નવરાત્રિમાં માતાજીને પોતાને ગામ, ઘરે પધારવા આમંત્રણ આપવા સદીઓથી ચાલી આવતી અંબાજી પદયાત્રા મહોત્સવની પરંપરા કોરોના મહામારીના તૂટશે. ભાદરવા મહિનાને આરંભે આઠમથી પુનમ દરમિયાન માના ભક્તો મા અંબાના દ્વાર પહોંચે છે. 
 
કોરોના મહામારી સામે લડવા માટે રાજ્યનું વહિવટી તંત્ર અને આરોગ્ય તંત્ર ખડેપગ ઉભું છે. ત્યારે અત્યારની સ્થિતિ જોતાં અંબાજીમાં લાખો માઇભક્તોને એકત્ર થવું વ્યવસ્થા સંચાલન માટે પડકારજનક અને જોખમી છે. ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના કારણે પૂનમિયા સંઘોના પ્રતિનિધિઓએ સામેથી આ વખતે મેળા મહોત્સવનું આયોજન ન કરવા માટે સરકારને પ્રસ્તાવ મોકલ્યો છે. આગામી બે-ત્રણ દિવસમાં સરકાર અને પૂનમિયા સંઘોના પ્રતિનિધીઓ સાથે બેઠક બાદ આ સંદર્ભે નિર્ણયની જાહેરાત કરાશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના કાળો કહેર વર્તાઈ રહ્યો છે. તેમાં પણ  સુરતમાં ઉત્તરોત્તર દિવસને દિવસે કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં આજે બુધવારે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળવાની છે. સ્વર્ણિમ સંકુલ-1 ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને લઈ ચર્ચા થશે. કેબિનેટની બેઠકમાં 30 જુલાઈ સુધી કોરોનાના સંક્રમણને ઘટાડવા પર રણનીતિ ઘડાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૂર્ય અને ચંદ્રગ્રહણના દિવસે જન્મેલા બાળકો કેવા હોય છે ? જાણો તેમના સ્વભાવ અને ભવિષ્ય વિશે

મોરિંગા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, જાણો તેને તમારા આહારમાં કેવી રીતે સામેલ કરવું?

Paneer Thecha Recipes - આ રેસીપી બનાવશો તો ઘરમા બધા જ સફાચટ કરી દેશે

એટલા માટે તમારે 3 મહિના સુધી તમારી પ્રેગ્નન્સી વિશે કોઈને કહેવું જોઈએ નહીં, ખુદ ડોકટરો પણ ના પાડે છે

કુંભારની શીખામણ

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

સોનુ સૂદની પત્ની સોનાલી સૂદને મુંબઈ-નાગપુર હાઈવે પર અકસ્માત, ઈજા થઈ હતી

KL Rahul and Athiya Shetty Baby - આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી નાનકડી પરી, સુનીલ શેટ્ટી બન્યા નાના

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

આગળનો લેખ
Show comments