Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરત-વલસાડ વચ્ચે માલગાડીનો ડબ્બો પાટા પરથી ઉતરી જતાં ટ્રેન વ્યવહાર ખોરવાયો

Webdunia
શનિવાર, 20 જુલાઈ 2024 (00:38 IST)
Between Surat-Valsad goods coach derailed,
 તાજેતરમાં ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં પાટા પરથી ટ્રેન ખડી પડવાની ઘટના બની હતી. હવે સુરત વલસાડ વચ્ચે એક માલગાડીનો ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો. જેના કારણે આ રૂટ પર ટ્રેનોની અવરજવર પર અસર થઈ હતી. ખાસ કરીને અમદાવાદ મુંબઈ રૂટ પર દોડતી ટ્રેનોને મોટી અસર થઈ હતી. 
 
ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી તુરંત ટ્રેન થોભાવી દીધી
પ્રાપ્ત વિગતો પ્રમાણે બીલીમોરા નજીક ડુંગરી રેલવે સ્ટેશન પાસેથી પસાર થતી માલગાડીનો ડબ્બો પાટા પરથી ઉતરી જતા થોડો સમય માટે રેલ્વે વ્યવહાર ખોટકાયો હતો. બીલીમોરા નજીકના ડુંગરી રેલ્વે સ્ટેશન પાસે ડાઉન લાઇન પરથી ગુડ્ઝ ટ્રેન મહારાષ્ટ્રના પુનાથી રાજસ્થાનના લુણી તરફ જઈ રહી હતી. જ્યાં આ ગુડ્ઝ ટ્રેન જ્યારે ડુંગરી રેલ્વે સ્ટેશન પાસેથી પસાર થતાં જ ટ્રેનના એન્જીન પછીનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો પણ ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી તુરંત ટ્રેન થોભાવી દીધી હતી. 
 
આ ઘટના અંગે રેલ્વે અધિકારીઓ તપાસ આરંભી 
ઘટનાની જાણ થતાં રેલ્વે ના અધિકારીઓ તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં ટ્રેક પરથી ડીરેલ થયેલ બોગીને બાકીની ટ્રેન ને છુટી કરી ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે ડાઉન લાઈનનો ટ્રેન વ્યવહાર થોડા સમય માટે ખોરંભાયો હતો. ડીરેલ થયેલ બોગી ને હટાવાની કામગીરી રેલ્વે તંત્ર દ્વારા કરવામાં આવી હતી. આ ઘટના અંગે રેલ્વે અધિકારીઓ તપાસ આરંભી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

નવાદામાં, બદમાશોએ 70-80 ઘરોને લગાવી આગ, ગોળીઓ પણ ચલાવી, અનેક પોલીસ ઘટના સ્થળે પહોંચી

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

આગળનો લેખ
Show comments