Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના આ મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ, મંદિર બહાર લાગ્યા 'No Entry'ના બોર્ડ

Webdunia
મંગળવાર, 22 ઑગસ્ટ 2023 (09:43 IST)
મંદિર બહાર લાગ્યા 'No Entry'ના બોર્ડ- શિવનો પ્રિય શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે રાજ્યના કેટલાક શિવ મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 
 
ગુજરાતના કેટલાક શિવાલયોમાં ટૂંકા વસ્ત્ર પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. શિવ મંદિરોની બહાર બોર્ડ લગાવવામાં આવ્યા છે. જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં પ્રવેશ કરવો નહીં. સોમનાથ, નવસારી અને બીલીમોરા મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકાયો છે .  અમદાવાદના બિલેશ્વર મંદિરમાં પણ ટૂંકા વસ્ત્ર પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 
 
સોમનાથ મહાદેવ મંદિર સંકુલમાં દર્શન માટે આવતા દરેક ભાઈઓ-બહેનોને વિનંતી કરવામાં આવે છે કે ટૂંકા વસ્ત્રો જેવા કે બરમૂડા, હાફપેન્ટ, સ્કટ અને સ્લીવલેશ જેવા ટુંકા કપડા/વસ્ત્રો પહેરીને મંદિર સંકુલમાં દાખલ થવું નહીં. સહકારની અપેક્ષા.'
 
થોડા દિવસ અગાઉ જ દ્વારકા જગત મંદિરમાં પણ આવો જ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - તું મારી દુનિયા છે.

ગુજરાતી જોક્સ - બાબુ આઈ લવ યુ

ગુજરાતી જોક્સ - મારી દારૂની લત દૂર કરો

ઓમકારેશ્વર જોવાલાયક સ્થળો

Bigg Boss 18 Winner: કરણવીર મહેરા બન્યા 'બિગ બોસ 18' ના વિનર, ટ્રોફી સાથે આટલી જીતી મોટી રકમ

વધુ જુઓ..

નવીનતમ

શુ પીળા દાંતને કારણે હસવામાં પણ આવે છે શરમ ? જીદ્દી પીળાશને ખેંચીને કરશે બહાર આ દેશી ઉપાય, 2 મિનિટમાં ચમકી જશે બત્રીસી

વેજીટેબલ સેન્ડવીચ બનાવો

26 મી જાન્યુઆરી શાયરી/ Republic day wishes in gujarati,

આળસુ બ્રાહ્મણ

સવારે ઉઠતા જ જરૂર પીવો મેથીનું પાણી, વજન ઘટાડવા માટે સૌથી અસરકારક ઉપાય

આગળનો લેખ
Show comments