Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં યુવકે પેટ્રોલપંપમાં જ્વલનશીલ પ્રવાહીનો કેરબો શરીર પર રેડ્યો, સળગે એ પહેલાં બચાવી લેવાયો

Webdunia
ગુરુવાર, 27 જાન્યુઆરી 2022 (13:17 IST)
રાજકોટના રૈયા રોડ પર આવેલા ન્યારા પેટ્રોલપંપ ખાતે ગઇકાલે રાત્રે એક યુવકે શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી કાંડી ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પેટ્રોલપંપ પર હાજર સ્ટાફ અને અન્ય લોકોની સતર્કતાના કારણે આ યુવનનો જીવ બચી ગયો હતો. આથી મોટી દુર્ઘટના ટળી હતી. યુવાને આક્ષેપ કર્યો હતો કે, થોડા દિવસ પહેલા પેટ્રોલપંપના સંચાલકે માર માર્યો હતો. હાલ પોલીસે યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  આ સમગ્ર દૃશ્યો પેટ્રોલપંપના સીસીટીવીમાં કેદ થયા છે. સીસીટીવીમાં જોવા મળે છે કે, રૈયા રોડ પર આવેલા ન્યારા પેટ્રોલપંપ ખાતે ગત રાત્રિના 10.51 વાગ્યે મયુર ભીખાભાઇ સોંદરવા નામનો યુવક જ્વલંવશીલ પદાર્થ સાથે આવ્યો હતો.  પેટ્રોલપંપની ઓફિસ પાસે પહોંચી પોતાના શરીર પર કેરબામાં ભરેલું જ્વલનશીલ પ્રવાહી છાંટવા લાગ્યો હતો. બાદમાં માચીસ કાઢી દીવાસળી ચાંપે  તે પહેલા પેટ્રોલપંપનો સ્ટાફ અને અન્ય લોકો દોડી આવે છે. જેમાંથી એક યુવાન દોડીને આવતો હતો ત્યારે તેનો પગ જ્વલનશીલ પ્રવાહી પડતા લપસ્યો હતો અને ધડામ દઇને જમીન પર પટકાયો હતો.જોકે આ યુવાન ઉભો થઈને મયુરને રોક્યો હતો. બાદમાં પેટ્રોલપંપમાં કામ કરતા સ્ટાફ તેમજ અન્ય લોકોની સમય સુચકતા અને સતર્કતાના કારણે યુવકનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. જોકે મયુરના આત્મવિલોપનને રોકતા જ પેટ્રોલપંપ પર એક મોટી દુર્ઘટના થતા અટકી ગઇ હતી.  બાદમાં પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી યુવાનની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  આત્મવિલોપન કરવા પહોંચેલા યુવાન મયુર સોંદરવાએ જણાવ્યું હતું કે, આજથી 15 દિવસ પૂર્વે તે પેટ્રોલપંપ ખાતે પેટ્રોલ પૂરાવી બાદમાં શૌચક્રિયા માટે ગયો હતો. તેને પોતાને પથરીની બિમારી હોવાથી થોડી વાર લાગી હતી. આથી પેટ્રોલપંપ સંચાલક દ્વારા તેમને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ માટે પોલીસ સ્ટેશન ખાતે અરજી આપવા છતાં કોઈ કાર્યવાહી ન કરી ફરિયાદ કરવાના બદલે પોલીસ મને સમાધાન કરવા કહી રહી છે. ન્યાય ન મળતા આત્મવિલોપન કરવા નિર્ણય કર્યો હતો.  બીજી તરફ પેટ્રોલપંપ સંચાલક કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમે તેમને માર માર્યો નથી, તે ગાળો બોલતા ઝપાઝપી થઈ હતી. આ સમયે પણ પોલીસ બોલાવવામાં આવી હતી. જોકે, તે સમયે હોયપિટલનું બહાનું બનાવી યુવાન ત્યાંથી ચાલ્યો ગયો હતો. ઉલ્લેખનીય છે કે, ઝપાઝપી થઈ તે દિવસે યુવકે પોતાની ઓળખ કેશુભાઇ પટેલના ભત્રીજાનો દીકરો હોવાનું જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments