Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં સરસપુર ખાતે ભગવાન જગન્નાથને 400 કિલો કેસર કેરીનો મનોરથ કરાયો

Webdunia
સોમવાર, 28 જૂન 2021 (08:51 IST)
ભગવાન જગન્નથજીની 144મી રથયાત્રા નીકાળવા અંગે હજુ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. પરંતુ ભગવાનના મોસાળ સરસપુર ખાતે રથયાત્રાને લઈને તૈયારીઓ ચાલી રહી છે. સરસપુર ખાતેના રણછોડજી મંદિર ભાણેજના સ્વાગત માટે તૈયાર છે. દર વર્ષની જેમ મામેરું અને ભાણેજનું ભાવભીનું સ્વાગત કરવા મોસાળ ખાતે તૈયારી શરૂ કરાઇ છે. બીજી તરફ સ્થાનિક પોલીસ દ્વારા પણ ફૂટ પેટ્રોલિંગ કરીને રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

દર વર્ષની જેમ આ વર્ષે રથયાત્રા નીકળશે કે પછી ગત વર્ષની જેમ મંદિર પરિસરમાં જ રથ રહેશે તે અંગે હજુ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. પરંતુ ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુર ખાતે નગરજનો તૈયારી કરી રહ્યા છે. અત્યારે ભગવાન મોસાળે આવ્યા છે ત્યારે રોજ મોટી સંખ્યામાં લોકો દર્શનનો લાભ લઈ રહ્યા છે. મંદિર તરફથી પણ મંદિર બહાર સરસપુર ચાર રસ્તા સુધી લાઈટિંગ અને મંડપ બાંધવામાં આવ્યો છે. આજે ભગવાનને 400 કિલો કેસર કેરીનો મનોરથ કરવામાં આવ્યો હતો.ભાણેજના આગમનને લઈને અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. મામેરાની પણ પૂરી તૈયારી કરવામાં આવી છે. સરસપુરમાં રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આમ સમગ્ર સરસપુર રથયાત્રાને લઈને આતુર છે અને રથયાત્રાની તૈયારીમાં જોડાયું છે.આ અંગે રણછોડજી મંદિરના ટ્રસ્ટી ઉમંગ પટેલે જણાવ્યું હતું કે, અમે અમારી રીતે તૈયારી કરી રહ્યા છે. જગન્નાથ મંદિર તરફથી કે સરકાર તરફથી કોઈ સૂચના આપવામાં આવી નથી. પરંતુ રથયાત્રા નીકળે કે ના નીકળે અમે તૈયારીઓ કરી છે. મામેરું પરંપરાગત રીતે થાય છે તે અને કરીશું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મમતા કુલકર્ણી બની સંન્યાસી, ગળામાં રૂદ્રાક્ષ-ભગવા કપડા પહેરીને મહાકુંભમાં જોવા મળી અભિનેત્રી, જાણો તેનુ નવુ નામ

Snowfall In February:ફેબ્રુઆરીમાં દેશના આ અદ્ભુત સ્થળોએ બરફવર્ષા થશે, તમારા પ્રિયજનો સાથે ત્યાં પહોંચો.

ગુજરાતી જોક્સ - ઘરે ખાંડ નથી

તારી આંખ કેમ ફુલી ગઈ !

ગુજરાતી જોક્સ - બેંક નહીં ખોલું

વધુ જુઓ..

નવીનતમ

Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

બ્રાહ્મણ અને કેકડાની વાર્તા (વડીલોની વાતના પાલન કરવું જોઈએ) Brahmin and the Crab

બાથરૂમની દુર્ગંધ તમને છોડતી નથી? આ ટિશ્યુ પેપર હેક ગંધને દૂર કરવામાં મદદ કરી શકે છે

Republic Day Special Suit- પ્રજાસત્તાક દિન દેશભક્તિમાં રંગ, ઓફિસમાં આ 3 રંગોના સલવાર-સૂટ પહેરો

આગળનો લેખ
Show comments