Webdunia - Bharat's app for daily news and videos

Install App

અશોક ગહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરી બતાવે : મુખ્યપ્રધાન રૂપાણી

અશોક ગહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરી બતાવે : મુખ્યપ્રધાન રૂપાણી
Webdunia
મંગળવાર, 8 ઑક્ટોબર 2019 (13:23 IST)
દારૂબંધી પર રાજસ્થાનનાં મુખ્યપ્રધાન અશોક ગહલોતે કહ્યુ હતું કે, વ્યક્તિગત રીતે હું દારૂબંધીનું સમર્થન કરું છું. દારૂબંધીનો એકવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ નિષ્ફળ રહ્યો હતો જેથી પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો. આઝાદી બાદથી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂની ખપત સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે. આ નિવેદન પર પલટવાર કરતા મુખ્યમંત્રી  રૂપાણીએ કહ્યું કે, રાજસ્થાનનાં સીએમ અશોક ગહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરી બતાવે. 
ગુજરાત કોંગ્રેસનાં નેતાઓ દારૂબંધીનાં સમર્થનમાં છે કે તેઓ દારૂ પીવાનું સમર્થન કરે છે તે જણાવે. 'ગહેલોતજીને હું બે વાત કહેવા માંગુ છું, ગહલોતજીએ કહ્યું કે ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે જેનો અર્થ એ થયો કે દરેક ગુજરાતીઓ દારૂ પીવે છે. જેનો મને વિરોધ છે. ગહલોતે માફી માંગવી જોઇએ. એક પછી એક ચૂંટણી હાર્યા બાદ કૉંગ્રેસ ઘણી જ નિરાશામાં છે. નેતાઓ બફાટ કરે છે. પહેલાથી જ તેમને ગુજરાત પ્રત્યે રોષ છે. સરદાર વલ્લભભાઇ પટેલ પર પણ તેમણે ગમે તેવા નિવેદનો કરેલા છે. 
ગાંધી તેમને ગમતા નથી. મોદી અને ગુજરાત પણ તેમને ગમતા નથી. આ વાત પણ ગુજરાતની જનતા જાણે છે. ગુજરાતને બદનામ કરવાની કુચેષ્ઠા છે તેટલા માટે જ તેમનો વિરોધ કરીએ છીએ.' આ સાથે ગુસ્સામાં તેમણે કહ્યું કે, 'ગહલોતે ગુજરાતની જનતાને માફી માંગે. ગહલોતનાં કલબલીયા વગાડનારા કોંગ્રેસીયાઓ પણ સાંભળી લે કે, જો ગહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરી બતાવે. રાજસ્થાનમાં મહિલાઓએ જે માંગણી કરી છે કે તેની ચેલેન્જ સ્વીકારે અને ધ્યના રાખે કે કોઇપણ ઘરમાં દારૂ ન પીવાય. '

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments