Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસમાં ભૂકંપ, અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું

Webdunia
સોમવાર, 4 માર્ચ 2024 (17:19 IST)
Arjun Modhwadia resigned from the post of MLA

- આજના દિવસમાં કોંગ્રેસને બે મોટા ફટકા પડ્યાં
- આજે સવારે રાજૂલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે રાજીનામું આપી દીધું
- અર્જુન મોઢવાડિયાએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતાં રાજકારણમાં ખળભળાટ
 
લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ લગભગ સાફ થઈ ગઈ છે. આજના દિવસમાં કોંગ્રેસને બે મોટા ફટકા પડ્યાં છે. આજે સવારે રાજૂલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે રાજીનામું આપી દીધું છે અને હવે કોંગ્રેસના સૌથી સિનિયર અને દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. 
 
કોંગ્રેસમાંથી ધડાધડ રાજીનામા પડ્યા
ગુજરાતમાં તાજેતરમાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પક્ષનો સાથ છોડી દીધો છે. સી.જે. ચાવડા, ધાનેરાના જોઈતાભાઈ પટેલ, ચિરાગ કાલરિયા, પૂર્વ સાંસદ નારણ રાઠવા સહિતના નેતાઓએ પક્ષને રામ રામ કહી દીધા છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ એક સમયે મજબૂત ગણાતી કોંગ્રેસ સાવ ખાલી થઈ ગઈ છે. હાલમાં ગેનીબેન ઠાકોર, જિજ્ઞેશ મેવાણી અને જગદીશ ઠાકોર સિવાય ત્યાં કોઈ મજબૂત નેતા રહ્યો નથી. 80 બેઠકો પર પહોંચેલી કોંગ્રેસ આ વખતે 17 બેઠકો પર આવીને અટકી ગઈ છે એમાં પણ ધારાસભ્યોના ધડાધડ રાજીનામા બાદ પેટા ચૂંટણીમાં શું થશે એ કહેવું પણ હાલ મુશ્કેલ છે. 
 
કોણ છે કોંગ્રેસના દિગ્ગજ અર્જુન મોઢવાડિયા 
અર્જુન મોઢવાડિયા વર્ષ 1997માં સત્તાવાર રીતે કોંગ્રેસ સાથે જોડાયા હતાં. તેઓ પ્રથમ વખત વર્ષ 2002માં પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતાં. અર્જુન મોઢવાડિયાને વર્ષ 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજ નિભાવવાની તક મળી હતી.તેઓ ફરી વર્ષ 2007માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા. આ દરમિયાન તેમની માર્ચ 2011 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ હતી.અર્જુનભાઈ મોઢવાડિયાની ગણના માત્ર પોરબંદર જ નહીં સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના ટોચના નેતાઓમાં થાય છે. તેઓ મહેર સમાજના ટોચના આગેવાનોની હરોળમાં સ્થાન ધરાવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

આગળનો લેખ
Show comments