Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના મહામારીમાં 650 ડોક્ટરની ભરતી પ્રક્રિયા સામે હાઇકોર્ટમાં અરજી કરાઈ

Webdunia
ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2020 (15:53 IST)
કોરોના મહામારીના સંકટ સમયે તબીબોની અછત ઉભી થતાં સરકારે 11 મહિનાના કરાર આધારિત 650 તબીબોની ભરતી શરૂ કરી છે. તેની સામે ડોક્ટર એસોસિએશને તેનો વિરોધ કરતાં હાઇકોર્ટમાં અરજી કરીને રજૂઆત કરી છે કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકાનો ભંગ થઇ રહ્યો છે. માર્ગદર્શિકા મુજબ સરકાર ભરતી કરતી નથી. જ્યારે સરકાર તરફે દલીલ કરાઇ છે કે દેશમાં કોરોનાનો ભોગ તબીબો પણ બન્યા છે. તબીબોની અછત ઉભી થઇ છે. તેવા સંજોગોમાં ઉચ્ચ લાયકાત ધરાવતા તબીબોની ભરતી કરવામાં આવે તે તો તેમાં અરજદારોને વાંધો શુ છે? માત્ર 11 મહિનાના કરાર આધારિત તબીબો લેવાના છે.તેમા કાયમી કોઇ ભરતી નથી.

રાજ્ય આખું આજે કોરોના સામે લડી રહ્યું છે ત્યારે તબીબોની ભરતી કરવા સામે વિરોધ કરી શકાય નહીં. આ અંગે સોમવારે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટ ચુકાદો જાહેર કરી શકે છે. સરકારે એવી દલીલ કરી હતી કે હાઇકોર્ટે તબીબોની અછત જણાય તો ભરતી કરવાનો આદેશ કર્યો હતો. એક તરફ મેડિકલના વિદ્યાર્થીઓની પણ કોરોના સહાયક તરીકે મદદ લેવામાં આવી છે. તો બીજી તરફ અનુભવી અને ઉચ્ચ લાયકાત ધરાવતા તબીબોની પણ જરૂર હોવાથી ભરતી કરાઇ રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

આગળનો લેખ
Show comments