Webdunia - Bharat's app for daily news and videos

Install App

જીઆઇડીસીની પ્લાસ્ટોકોન કંપનીમાં દીવાલ ધરાશાયી થતાં 6 મજૂરો દબાયા, 4ના મોત 2 ઘાયલ

Webdunia
બુધવાર, 5 જાન્યુઆરી 2022 (18:35 IST)
અંકલેશ્વર જીઆઇડીસીની પ્લાસ્ટોકોન કંપનીમાં કન્સ્ટ્રકશનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન દીવાલ ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં 6  લોકો દબાયા  જેના પગલે કંપનીના સત્તાધીશોએ બચાવ કાર્ય હાથ ધર્યું હતું. તે દરમિયાન દીવાલ નીચે દબાઈ જવાથી એક કામદારનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જયારે પાંચ કામદારોને બચાવી તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે દરમિયાન કોન્ટ્રાક્ટર સહીત અન્ય ત્રણ કામદારોનું મોત નીપજ્યા હતા. જયારે અન્ય બે કામદારો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે બનાવને પગલે જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments