Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભચાઉથી 14 કિમી દૂર નેર નજીક 2.9ની તિવ્રતાનો આફ્ટરશોક નોંધાયો

Webdunia
ગુરુવાર, 4 એપ્રિલ 2024 (13:26 IST)
- કચ્છ જિલ્લામાં સમયાંતરે ભુકંપના આચકાઓ 
- ગુરુવારની મધ્યરાતના 3:25 મિનિટે ભચાઉ તાલુકાના કડોલ નજીક 2.9ની તિવ્રતાનો આંચકો
- વારે 9.12 મિનિટે એજ વિસ્તારમાં 2.8ની તિવ્રતા સાથે ધરા ધ્રુજી 

ભૂકંપના પર્યાય બની ચૂકેલા કચ્છ જિલ્લામાં સમયાંતરે ભુકંપના આચકાઓ આવતા રહે છે. ગત ગુરુવારની મધ્યરાતના 3:25 મિનિટે ભચાઉ તાલુકાના કડોલ નજીક 2.9ની તિવ્રતાનો આંચકો નોંધાયો હતો, જે બાદ આજે સવારે 9.12 મિનિટે એજ વિસ્તારમાં 2.8ની તિવ્રતા સાથે ધરા ધ્રુજી હોવાનું ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી ખાતે નોંધાયું છે.

લગાતાર આવતા રહેતા આફ્ટર શોકના કારણે કચ્છમાં ધરા ધ્રુજવાનો સિલસિલો આજ દિન સુધી યથાવત રહ્યો છે. કચ્છમાં સતત ભૂકંપના આચકાઓ આવે છે, ખાસ કરીને વાગડ ફોલ્ટ લાઈન ઉપર આંચકાઓની સંખ્યા વિશેષ નોંધાતી રહે છે. જોકે, સામાન્યથી મધ્યમ કક્ષાના આંચકાઓથી જાનમાલને કોઈ નુકસાન પહોંચતું નથી.તાલુકા મથક ભચાઉથી ઉત્તર પશ્વિમ દિશાએ આવેલા રણ કાંઠા આસપાસ જિલ્લાની સમાંતર ભૂકંપના આંચકાઓ વિષેશ રૂપે આવતા રહે છે. આજે સવારે 9.12 મિનિટે નેર ગામ નજીક વધુ એક 2.9ની તિવ્રતા ધરાવતો આંચકો નોંધાયો છે. જે વાગડ ફોલ્ટલાઈનમાં ભૂગર્ભિય ગતિવતીને સાબિત કરે છે, જોકે, સામાન્ય આંચકાઓ મોટા આંચકોને નિવારતા હોય છે. ઉલ્લેખનીય છે કે, ગત ગુરુવારે પણ ધરા ધ્રુજી હતી, તો આ પૂર્વે ગત 17ના ખાવડા નજીક 3.3 અને તા.5ના દુધઈથી 26 કિલોમીટર દૂર રણ સરહદે 3.2ની તિવ્રતા ધરાવતો આફ્ટત શોક નોંધાયો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

એસ. જયશંકરે પાકિસ્તાનની પ્રશંસા કરી

આત્મહત્યા કરતા પહેલા 22 વર્ષના છોકરાએ સાડી પહેરીને ફાંસી લગાવી; લિપસ્ટિક અને કાજલ પણ લગાવી

મુરાદાબાદમાં મહિલાનું ગળું કાપીને હત્યા... માથું 30 મીટર દૂરથી મળ્યું, બાળકનો મૃતદેહ પણ મળ્યો

દિલ્હીના શાહદરામાં ઘરમાં આગ, 2 લોકોના મોત

રાજસ્થાનના જયપુરમાં RSSના કાર્યક્રમ દરમિયાન છરી અને લાકડીઓથી હુમલો, 8 સ્વયંસેવકો ઘાયલ, હોસ્પિટલમાં દાખલ.

આગળનો લેખ
Show comments