Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ સિવિલમાં 11 મહિનાનું બાળક તાવથી તડપતું હતું, ડોક્ટર તપાસવા ન આવ્યા, મોત નિપજયુ

Webdunia
ગુરુવાર, 9 નવેમ્બર 2023 (14:51 IST)
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેના કારણે 11 માસના એક માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. બાળકને ઓપરેશન માટે જૂનાગઢથી સિવિલમાં લવાયો હતો, પરિજનોને આરોપ છે કે કલાકો વીતી જવા છતાં તબીબો જ ન આવ્યા અને આખરે સારવારના અભાવે બાળકનું મોત થઈ ગયું.જૂનાગઢના મેંદરડા નજીક સમઢિયાળા ખાતે રહેતા નરસિંહ પરમારના 11 મહિનાના પુત્ર માહિરને સિવિલમાં 1200 બેડ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અહીં 6 નવેમ્બરે તેનું ઓપરેશન થયું. જોકે ઓપરેશનના કલાકોમાં જ તેને તાવ આવવા લાગ્યો.

પરિજનોનો આરોપ છે કે, ફરજ પરના નર્સને તાવ વિશે કહેતા જાતે તાવ માપી લેવા માટે કહ્યું. પરિવારે વારંવાર ડોક્ટરને બોલાવવા માટે વિનંતી કરી. પરંતુ સાંજે 6 વાગ્યા સુધી કોઈ ડોક્ટર ન આવ્યા અને બાળકનું મોત થઈ ગયું.બાળકના મોત બાદ સિવિલના સુપ્રીટેન્ડન્ટ સમક્ષ જવાબદારો સામે પગલા ભરવા માટે માંગ કરી છે.

પરિવારની ફરિયાદ બાદ સમગ્ર પ્રકરણની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. પરિજનોનો આરોપ છે કે, ઓપરેશન સમયે બાળકના પેટમાં કાણા પાડવામાં આવ્યા હતા. પરિવારે સીસીટીવી કેમેરામાં તપાસ કરવાની માંગ કરી છે. બાળકના મોતથી સિવિલમાં ભારે હોબાળો મચ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મોદીએ મંદિરમાં વગાડ્યુ ઢોલ

નવરાત્રીના બીજા દિવસે વડોદરામાં સગીર કિશોરી પર ગેંગરેપ

તમે સાંભળ્યુ શુ બોલ્યા રાહુલ ગાંધી ? સત્તામાં આવ્યા તો અનામતની લિમિટ અને 50 ટકાની લિમિટ પણ ક્રોસ કરી દેશે

અમદાવાદમાં રેલવેકર્મીએ મણિનગર રેલવે ક્રોસિંગ પર કર્યો આપઘાત

Haryana Assembly Election Live: મહમમાં હંગામો, ભાજપના ધારાસભ્ય બલરાજ કુંડુ સાથે ઝપાઝપી, કપડા ફાડ્યા

આગળનો લેખ
Show comments