Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટીદારો નડે નહીં તે માટે શું છે અમિત શાહનો ગેમ પ્લાન

Webdunia
બુધવાર, 27 સપ્ટેમ્બર 2017 (12:36 IST)
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીનું નેતૃત્વ સંભાળ્યું છે. આ દરમિયાન તે 150 સીટનો ટાર્ગેટ પૂરો કરવા માટેની વ્યુહરચના પર કામ કરશે.  અમદાવાદ પહોંચીને તરત જ અમિત શાહે ભાજપના ઉચ્ચ નેતાઓ સાથે કમલમ ખાતે મીટિંગ કરી હતી.  વિસ્તારક યોજનાના ભાગરુપે અમિત શાહ 110 દિવસ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લેશે.  અત્યારની મુલાકાત પણ તેનો જ એક ભાગ છે.  તેમણે પોતે કરેલા કામનું પ્રેઝન્ટેશન તૈયાર કર્યુ હતું અને કઈ રીતે મહત્તમ વોટ્સ મેળવી શકાય તે અંગેના સલાહસુચનો પણ આપ્યા હતા.  અમિત શાહ પાર્ટીના અવરોધો અને મુશ્કેલીઓ વિષે જાણશે અને સૌથી પહેલા તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે. પાટીદાર સમાજના વિરોધને ધ્યાનમાં રાખીને પાર્ટી વર્તમાનના 50 ટકા ધારાસભ્યોના બદલે યુવા પાટીદાર ચહેરાઓને તક આપશે. શંકરસિંહ વાઘેલાનું સમર્થન ધરાવતો જન વિકલ્પ મોરચો પણ 182 સીટ્સ પર કેન્ડિડેટ્સ ઉભા કરે તેવી શક્યતા છે. શંકરસિંહ વાઘેલા ભાજપમાં નથી જોડાયા પરંતુ તેમના કારણે કોંગ્રેસનું ગણિત બગડવાની પુરી શક્યતા છે. જન વિકલ્પ મોરચાને કારણે કોંગ્રેસ અને ભાજપ બન્નેને નુકસાન પહોંચી શકે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આગળનો લેખ
Show comments