Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્કિલ્ડ યુવાનો થકી દેશ 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનશે: ગૃહમંત્રી અમિત શાહ

Webdunia
ગુરુવાર, 16 જાન્યુઆરી 2020 (11:46 IST)
કલોલ તાલુકાના નાસ્મેદ ગામે નિર્માણ પામનાર દેશની ત્રીજી ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સ્કીલ (IIS)નું ખાતમુહૂર્ત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે સ્કીલ્ડ યુવાનો જ તેમની ઉદ્યમશીલતાથી ભારતને 5 ટ્રીલીયન ડોલર ઇકોનોમી બનાવશે અને 2024 સુધીમાં ભારત નિશ્ચિતરૂપે આ સિદ્ધિ મેળવશે. અમિત શાહે કહ્યું કે નકારાત્મક માનસિકતા ધરાવતા લોકો બેરોજગારીની વાત કરે છે પણ તેમણે 50 વર્ષના શાસનમાં કોઇ નવો રસ્તો શોધ્યો નથી. આ પ્રકારની સ્કીલ ઇન્સ્ટીટ્યુટ રોજગારી માટેનો રાજમાર્ગ બનશે. આ સંસ્થામાં દર વર્ષે 5 હજાર યુવાનો પ્રશિક્ષણ મેળવશે અને મને ખાત્રી છે કે 70 ટકા યુવાનોને સંસ્થા છોડતા પહેલા જ પ્લેસમેન્ટ મળી જશે. આ સંસ્થાને કારણે રોજગારીની સાથે ગુજરાતના યુવાનોને એક્ઝીલરી ઇન્ડસ્ટ્રી અંગેની દિશા પણ મળશે. યુવાનો ભલે શરૂઆત પ્લેસમેન્ટથી કરે પરંતુ ઉદ્યમી બનીને જોબ ક્રિએટર બને, કેમકે નાની શરૂઆતથી જ મોટું લક્ષ્ય સાકાર કરી શકાતું હોય છે. કેટલાક તજજ્ઞો ભારતની વસતીને જવાબદારી માને છે પરંતુ અમે તેને તાકાત માનીએ છીએ. જે દેશમાં 70 ટકા વસતી યુવાનોની હોય તો તે સૌથી મોટું બજાર છે અને સૌથી વધુ સ્કીલ ઉપલબ્ધ છે. આઇઆઇએસનું નિર્માણ અને સંચાલન ટાટા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં ટાટા ગૃપના ચેરમેન રતન ટાટા પણ ઉપસ્થિત હતા. અમિત શાહે તેમને દરખાસ્ત કરી હતી કે ગુજરાતની 272 આઇટીઆઇને આઇઆઇએસ સાથે જોડીને તેના કોર્સ, ટીચર્સ, સુવિધાઓ અપગ્રેડ કરવામાં આવે તો ત્યાં પ્રશિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓને ફાયદો થશે. આ પ્રસ્તાવનો સ્ટેજ ઉપરથી જ રતન ટાટાએ સ્વીકાર કર્યો હતો.મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે રોજગારીના સર્જનમાં ગુજરાત 86 ટકા સાથે અગ્રેસર છે ત્યારે આ પ્રકારની સંસ્થા ઘણી મહત્વની બની રહેશે. એલએન્ડટીના ચેરમેન અનિલ નાયકે કહ્યું કે જર્મની તેના સ્કીલ ડેવલપમેન્ટને કારણે ટૂંકાગાળામાં 10 ટ્રીલિયન ડોલરનું અર્થતંત્ર બની ગયું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments