Webdunia - Bharat's app for daily news and videos

Install App

Amarnath યાત્રાએ ગયેલી ઓમ ટ્રાવેલ્સના ડ્રાઈવરે કંપારી છુટે તેવી ઘટના વર્ણવી

Webdunia
મંગળવાર, 11 જુલાઈ 2017 (12:10 IST)
શ્રીનગરના અનંતનાગમાં  ત્રાસવાદીઓએ અમરનાથની યાત્રાએ ગયેલા ગુજરાતીઓની ઓમ ટ્રાવેલ્સ બસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. બસના ડ્રાઇવર  સલીમ શેખ  મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગોળી વાગતાં જ મગજ સૂન થઇ ગયું હતું, પણ ખ્યાલ આવી ગયો હતો કે ત્રાસવાદી હુમલો છે. બસની આગળ 25 ત્રાસવાદીઓનો ઘેરો હતો. પણ બસ ચલાવાનું બંધ ના કર્યું અને પાંચ કિલોમીટર સુધી ફૂલ સ્પીડમાં બસ હાંક્યા પછી આર્મીની ગાડી મળી હતી.

એક ત્રાસવાદી તો બસમાં ચઢવા જતો હતો. કન્ડકટર હર્ષ દેસાઈએ   તેને ધક્કો મારીને બહાર ફેંકી દીધો અને દરવાજો બંધ કરી દીધો. તે અંદર ઘૂસી ગયો હોત તો એકેય બાકી ન બચ્યાં હોત. લગભગ 25 જેટલા ત્રાસવાદીઓએ ધડાધડ ગોળીબાર કરવાનું શરૂ કર્યું હતું. જાણે વીડિયો ગેમ રમતાં હોય તેમ મન ફાવે તેમ ગોળી વરસાવતા હતા. મને પગ અને ખભાના ભાગે ગોળી વાગી હતી. ગોળી વાગતાં જ મગજ સૂન થઇ ગયું હતું, પરંતુ આતંકી હુમલાનો ખ્યાલ આવતાં જ ફૂલ સ્પીડે બસ હાંકી તેમના ઘેરામાંથી બસને બહાર કાઢી. પાંચ કિલોમીટર સુધી ફૂલ સ્પીડે બસ દોડાવ્યા બાદ આર્મીની ગાડી મળી. તેઓ તરત જ આતંકીઓને પકડવા રવાના થયા, પરંતુ તેઓ નાસી છૂટ્યાં હતાં. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments