Webdunia - Bharat's app for daily news and videos

Install App

1 ડિસેમ્બરથી ફરી ખુલશે અક્ષરધામ મંદિર, વૉટર શૉ પણ નિહાળી શકાશે

1 ડિસેમ્બરથી ફરી ખુલશે અક્ષરધામ મંદિર  વૉટર શૉ પણ નિહાળી શકાશે
Webdunia
સોમવાર, 30 નવેમ્બર 2020 (17:53 IST)
ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આવેલ પ્રસિદ્ધ અક્ષરધામ મંદિરને 1 ડિસેમ્બરથી સાંજે 4 થી 7:30 કલાક દરમિયાન ખુલ્લુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
 
મળતી માહિતી અનુસાર કોરોનાના સંક્રમણને  જોખમ અટકાવવાના માટે લોકડાઉનના 8 મહિના બાદ અક્ષરધામ મંદિરને દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું હતું. આ દરમિયાન પણ કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતુ.
 
જો કે દિવાળી બાદ રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા તકેદારીના ભાગરુપે ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરને 30 નવેમ્બર સુધી ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું હતું. જો કે હવે BAPS સંસ્થા દ્વારા મંદિરને પુન: ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સાંજે 7:30 વાગ્યા પછી મંદિર બંધ કરી દેવામાં આવશે, જ્યારે વૉટર શૉને મુલાકાતીઓ નિહાળી શકશે.
 
દર વર્ષે 25 લાખથી વધુ દર્શનાર્થીઓ દર્શનનો લાભ લે છે
સમગ્ર વિશ્વમાં ગુલાબી પથ્થરમાં તૈયાર કરેલા મંદિરો ભાગ્યે જ જોવા મળે છે, ત્યારે રાજ્યમાં આવેલા ગાંધીનગરના અક્ષરધામ મંદિરને 1 હજાર વર્ષના આયુષ્ય સાથે તૈયાર કરવામાં આવ્યું છે. આ મંદિરમાં દર વર્ષે 25 લાખથી વધુ દર્શનાર્થીઓ દર્શનનો લાભ મેળવે છે. સાથે સાથે મંદિરમાં તૈયાર કરવામાં આવેલા મ્યૂઝિયમની પણ લાખો લોકો મુલાકાત લે છે. 23 એકરમાં બનેલા આ અક્ષરધામ મંદિરના નિર્માણમાં 1.60 લાખ ઘનફૂટ રાજસ્થાનનો ગુલાબી સેન્ડ સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 30 ઓક્ટોબર, 1992ના રોજ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકાયું હતું. શિલ્પશાસ્ત્રના નિયમો મુજબ અને લોખંડના ઉપયોગ વગર આ મંદિર બનાવવામાં આવ્યું છે. 64 કલાત્મક શિલ્પ છે. 15 એકરમાં ઉદ્યાન છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ આ સમયે કરશો ડિનર તો મળશે 7 કમાલના ફાયદા, દૂર થઈ જશે શરીરની અનેક પરેશાનીઓ

રોજની આ 5 ભૂલો Vagina ને નુકસાન પહોંચાડે છે, મહિલાઓએ તેને કરવાનું ટાળવું જોઈએ

જલજીરા શિકંજી

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

છોકરાઓના નામ રામના નામ પર

વધુ જુઓ..

નવીનતમ

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી નાનકડી પરી, સુનીલ શેટ્ટી બન્યા નાના

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

આગળનો લેખ
Show comments