Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં જાહેરમાં થૂંકતા પહેલા વિચારજો, અત્યાર સુધી 412 લોકો ઝડપાયા

અમદાવાદ
Webdunia
મંગળવાર, 14 મે 2019 (12:52 IST)
અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા શહેરને સ્વચ્છ બનાવવાની ઝૂંબેશ વધુ જોરશોરથી આરંભાઇ છે. જેમાં ૧૨ મે સુધીના છેલ્લા અઠવાડીયામાં જાહેરમાં લઘુશંકા કરતા, થૂંકતા, કચરો ફેંકતા અને પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરનારાઓ સહિતના કુલ ૨,૬૪૦ જણાને નોટિસ ફટકારાઇ છે. જેમાં ૧૨,૫૪,૧૫૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે. જાહેરમાં લઘુશંકા કરતા ૧૩૭ જણાને તેમજ થૂંકતા ૪૧૨ લોકોને દંડવામાં આવ્યા છે.
 
અમદાવાદ શહેરમાં પૂર્વ ઝોનમાં સૌથી વધુ ૫૯ જણા જાહેરમાં લઘુશંકા કરતા છેલ્લા અઠવાડીયામાં ઝડપાયા છે. જેઓ પાસેથી ૫,૪૫૦ નો દંડ વસુલાયો હતો. શહેરમાં આ મામલે કુલ ૧૩૭ લોકોને નોટિસ આપીને ૧૧,૩૫૦ રૃપિયા દંડ પેટે વસુલાયા હતા.
 
બીજી તરફ જાહેરમાં થૂંકવાની બાબતમાં પણ પૂર્વ ઝોનમાંથી સૌથી વધુ ૧૧૯ કેસો સામે આવ્યા છે. જેમાં ૧૧,૫૫૦ નો દંડ કરાયો હતો. કુલ ૪૧૨ લોકોને જાહેરમાં થૂંકવા બાબતે દંડીને તેઓની પાસેથી ૪૮,૭૦૦ રૃપિયા દંડપેટે વસુલાયા હતા.
 
શહેરમાંથી પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ૨૨૪ કિલો જેટલો જથ્થો ઝડપાયો હતો. જેમાં ૧,૦૦૦ નોટિસ ઇશ્યુ કરીને ૫,૯૫,૨૫૦ રૃપિયાનો દંડ વસુલાયો હતો. જેાહેરમાં કચરો ફેંકવાના ૧,૦૯૧ કેસોમાં ૫,૯૮,૮૫૦ નો દંડ કરાયો હતો. ઇ-મેમોની સાત દિવસની સમય-મર્યાદામાં દંડ ન ભરી જનારા ૧૧૨ લોકોના ઘરે જઇને જે તે ઝોનના સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ દ્વારા ૧૧,૨૦૦ની વસુલાત કરાઇ હતી. ચાલુ વર્ષે ૧ જાન્યુઆરીથી આજદીન સુધીમાં ૨૮,૯૬૪ લોકોને નોટિસ આપીને તેઓને પાસેથી ૧.૮૫ કરોડનો વહિવટી ચાર્જ વસુલાયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments