Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ: ધોરણ ૧ થી ૫ ના વર્ગ શરુ કરવા સંચાલક મંડળની માંગ,દિવાળી બાદ વર્ગ શરુ કરવાની શક્યતા..

Webdunia
બુધવાર, 20 ઑક્ટોબર 2021 (16:12 IST)
પાણીમાં રહેવું અને મગરથી ના ડરવા કરતા,કોરોના સાથે જીવતા શીખવું જોઈએ- સંચાલક મંડળ
 
અમદાવાદ:ધોરણ ૧ થી ૫ ના વર્ગ શરુ કરવા હવે સંચાલકો દ્વારા માંગણી કરવામાં આવી છે.રાજ્યના શાળા સંચાલકો દ્વારા સરકાર સામે માંગણી કરી છે કે જે પ્રમાણે ધોરણ ૬ થી ૧૨ ના વર્ગ શરુ થયા અને તેમાં સફળતા મળી તો હવે ધોરણ ૧ થી ૫ ના વાર પણ શરુ કરવા જોઈએ જેથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ અસર ના પડે.
 
રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે દોઢ વર્ષથી ૧ થી ૫ ના વર્ગ બંધ જ રાખવામાં આવ્યા છે જેના કારણે બાળકો સ્કુલ,વર્ગ,પાટલી ભૂલી ગયા છે.૬ થી ૧૨ ના વરહ શરુ કરીને પણ જોયું છે કે કોઈ ગંભીર બનાવ બન્યો નથી તો હવે ધોરણ ૧ થી ૫ ના વર્ગ શરુ કરવા જોઈએ.ગુજરાતી કહેવત પાણીમાં રહેવું ને મગરથી ડરવું તેવી સ્થિતિ થઇ રહી છે તેની જગ્યાએ કોરોના સાથે જીવતા જ શીખવું જોઈએ.અત્યારે સ્થિતિ સામાન્ય છે તો વર્ગ શરુ કરવા સરકાર મંજુરી આપે..
 
રાજ્ય સરકાર દ્વારા પણ હવે ૧ થી ૫ ના વર્ગ શરુ કરવા વિચારણા કરવામાં આવી રહી છે,સ્થિતિ સામાન્ય થઇ છે ત્યારે દિવાળી સુધી હજુ પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને રાજ્ય સરકાર દ્વારા દિવાળી બાદ ધોરણ ૧ થી ૫ ના વર્ગ શરુ કરવા જાહેરાત કરવામાં આવી શકે છે.વર્ગ શરુ કર્યા બાદ ઓનલાઈન અભ્યાસ માટે પણ છૂટ આપવામાં આવી શકે છે..

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments