Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા પર રોક લગાવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી

Webdunia
ગુરુવાર, 18 જૂન 2020 (17:00 IST)
સુપ્રીમ કોર્ટે ઓરિસ્સાના પુરીમાં 23 જૂનના રોજ શરૂ થનાર ભગવાન જગન્નાથની રથયાત્રા ઉપર ગુરુવારે પ્રતિબંધ મૂકી દીધો છે. જેને પગલે અમદાવાદમાં નીકળનારી જગન્નાથ રથયાત્રા પર રોક લગાવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં કોરોનાની મહામારી વચ્ચે રથયાત્રા ન કાઢવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ અરજદારે આ અરજી પર ઝડપી સુનાવણી કરવાની પણ માંગ કરી છે. બીજી બાજુ ગઈ કાલે અમદાવાદ સહિત રાજ્યમાં અલગ અલગ સ્થળે નીકળતી ભગવાન જગન્નાથજીની પારંપરિક રથયાત્રા કાઢવા અંગે રાજય સરકારે હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નહીં હોવાની સ્પષ્ટતા રાજય ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા એ કરી છે.પત્રકારો સાથેની વાતચીતમાં પ્રદીપસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર આ બાબતનો ટૂંક સમયમાં નિર્ણય કરશે તેમ જણાવ્યું હતું રાજ્યમાં અમદાવાદ સહિત અન્ય જગ્યાએ પણ પારંપરિક રથયાત્રા નીકળતી હોય છે જોકે ગુજરાતમાં વિજયભાઈ રૂપાણી ના માર્ગદર્શન હેઠળ કોરોના ઉપર અંકુશ મેળવવા પૂરતી સારવાર અને તબીબી સવલતો ઉપલબ્ધ કરાવી છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments