Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ જિલ્લામાં હોમ કર્વારન્ટાઇનમાંથી 556 લોકો મુક્ત થયા

Webdunia
રવિવાર, 5 એપ્રિલ 2020 (21:35 IST)
અમદાવાદ જિલ્લામાં ૫૫૬ લોકોને હોમ કર્વારન્ટાઇનમાંથી મુક્ત કરવામા ંઆવ્યા છે. તેમજ હાલમાં ફક્ત ૧૦૩ લોકો જ હોમ કર્વારન્ટાઇન હેઠળ હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.  જિલ્લામાં પીજી હોસ્ટેલમાં રહેતા ૧,૪૭૩ લોકોનો સંપર્ક કરાયો હોવાનું અને તેઓને જમવા સહિતની સુવિધાઓ પુરી પડાઇ રહી હોવાનો પણ દાવો તંત્ર દ્વારા કરાયો  હતો. રાશનકાર્ડ ન હોય તેવા લોકોને આગામી સોમવારથી અન્નબ્રહ્મ યોજના હેઠળ મફત અનાજનું વિતરણ કરાશે.અમદાવાદ જિલ્લામાં ૪૮ પાંજરાપોળમાં ૧૮ હજારથી વધુ પશુઘન છે. જ્યાં ઘાસચારાની સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું અને જરૂર પડયે ઘાસચારો પુરો પાડવાની કામગીરી પણ તાત્કાલિક ધોરણે જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાનાર હોવાનું જાણવા મળે છે. કલેક્ટર કે.કે.નિરાલાના જણાવ્યા મુજબ રાજકોટથી એક લાખથી પણ ઓછી કિંમતમાં તૈયાર થયેલા વેન્ટિલેટર મળનાર છે. જેને કારણે અમદાવાદમાં હવે વેન્ટિલેટરની અછતની સમસ્યા નહીં નડે. કોરોનાના દર્દીઓની સારવાર સરળ બનશે. અમદાવાદ જિલ્લામાંથી મુખ્યમંત્રી રાહતફંડમાં ૪૫.૬૮ લાખની સહાય દાતાઓ દ્વારા કરાઇ છે. જિલ્લામાં જરૂરિયાતમંદોને એક લાખથી પણ વધુ ફૂડપેકેટનું તંત્ર દ્વારા વિતરણ કરાયું છે. રેશનકાર્ડધારકોને અનાજના વિતરણની કામગીરી પૂર્ણતાને આરે છે. બાકી રહેલાઓને પણ અનાજ પહોંચાડાશે. રેશનકાર્ડ  ન હોય તેવા લોકોને પણ આગામી સોમવારથી અન્નબ્રહ્મ યોજના હેઠળ મફતમાં અનાજનું વિતરણ કરવાની તૈયારીઓ કરાઇ છે. અનાજ મેળવવા આવતા લાભાર્થીઓ તકેદારીના પગલારૂપે સામાજિક અંતર જાળવે અને કોરોના સંક્રમણથી બચે તેવી પણ અપીલ કરાઇ છે. બીજી જગ્યાએ સ્થળાંતરીત થયેલા શ્રમિકોને પણ કોલ આવ્યે મદદ પહોંચાડવાની જિલ્લાતંત્રએ ખાત્રી આપી છે. લોકડાઉનના આ સમયગાળામાં લોકો તંત્રને મદદરૂપ બને અને લોકડાઉનનું ઉલ્લંઘન ન કરે તેવી અપીલ કલેક્ટર દ્વારા કરાઇ છે. લોકડાઉનના ઉલ્લંઘનના કેસમાં સખત કાર્યવાહી કરવાની ચિમકી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આપવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments