Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં સરખેજ હાઈવે અને રિંગ રોડ પરનાં કોફી બાર, હોટેલો રાત્રે 11 વાગ્યે બંધ

Webdunia
સોમવાર, 6 ઑગસ્ટ 2018 (15:37 IST)
અમદાવાદમાં સરખેજ હાઈવે પર રાજપથ ક્લબથી સિંધુ ભવન રોડ પર આવેલ ડેનિસ કોફીબારની બહાર રોડ પર બે યુવાનોએ હવામાં કરેલા ફાયરિંગના ચકચારી કેસ બાદ શહેર પોલીસે હાઇવે પર મોડી રાત સુધી ચાલતા કોફીબાર, રેસ્ટોરાં અને ખાણીપીણીનાં બજારો રાતે ૧૧ વાગ્યા પછી બંધ કરાવી દેવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એસ.જી.હાઇવે અને એસ.પી.રિંગ રોડ આવેલા કોફીબાર, રેસ્ટોરાં યુવાધન માટેનો મોજ મસ્તીનો અડ્ડો બની ગયા છે. જેનો લાભ કેટલાંક તોફાની તત્વો ઉઠાવી રહ્યાં છે. તોફાની તત્ત્વોને કંટ્રોલ કરવા માટે તેમજ કોઇ માથાકુટ ના થાય તે માટે પોલીસે આ નિર્ણય લીધો છે. રાતે ૧૧ વાગે રેસ્ટોરાં, કોફીબાર અને ખાણીપીણી બજાર બંધ કરી દેવા માટે પોલીસ તમામને નોટિસ પાઠવશે.
એસ.જી.હાઇવે, સિંધુ ભવન રોડ તેમજ એસ.પી.રિંગ રોડ પર સ્ટંટ બાજી કરતા અને દારૂ પીને ધમાલ કરતા અનેક બનાવો અગાઉ પણ બન્યા છે. પુરઝડપે વાહનો ચલાવીને સ્ટંટ કરવા તેમજ કારમાં દારૂની મહેફીલ માણવી, યુવતીઓની મશ્કરીઓ કરવી અને પૈસાદાર હોવાનો રોફ મારવાનું હવે એસ.જી.હાઇવે, સિંધુ ભવન રોડ, તેમજ એસ પી રિંગ રોડ પર વધી ગઇ છે. થોડાક સમય પહેલાં એસ.જી.હાઇવે પર આવેલા એક કોફીબારમાં કેટલાક નબીરાઓએ મારામારી પણ કરી હતી. સિંધુ ભવન રોડ પર મેક્સી પટેલે કરેલા ફાયરિંગ બાદ કોફીબાર, રેસ્ટોરાંમાં અડિંગો જમાવીને બેસી રહેલાં તોફાની તત્ત્વો તેમજ યુવાધનો પર પોલીસ નજર રાખશે. ઝોન સાતના ડીસીપી આર.જે.પારધીએ જણાવ્યું છે કે રાતે હાઇવે પર આવેલી હોટલો અને કોફીબારમાં બેસવા માટે આવતા લોકોમાં ન્યુસન્સ વધી ગયું છે.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ.જાડેજાએ જણાવ્યુ છેકે તોફાની તત્ત્વોને રોકવા માટે અને માથાકૂટને બંધ કરવા માટે હાઇવે પર આવેલી તમામ હોટલો અને કોફીબાર અને ખાણીપીણીનાં બજારોને ૧૧ વાગે બંધ કરી દેવા માટેની નોટિસ આપવામાં આવશે. જો ત્રણ નોટિસ બાદ પણ કોઇ નહીં માને તો મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે રાખીને હોટલ, કોફીબાર અને ખાણીપીણીનાં બજારને સીલ કરવામાં આવશે. રાતે સમયસર ખાણીપીણીના સ્ટોલ બંધ થઇ જતાં તોફાની તત્ત્વો પણ જતાં રહેશે. આ સિવાય તમામ લોકનું ચેકિંગ કરવામાં આવશે કે તેમણે દારૂ પીધો છે કે નહીં અને હાઇવે પર ઊભી રહેતી તમામ કારનું પણ ચેકિંગ કરવામાં આવશે. આ સિવાય નાટકબાજી કરતા લોકો ઉપર પણ નજર રાખવામાં આવશે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments