Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના કલેક્ટર પાકિસ્તાનના હિન્દુઓને ભારતની નાગરિકતા આપશે

Webdunia
ગુરુવાર, 21 જૂન 2018 (12:26 IST)
અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડે શુક્રવારના રોજ ભારતની નાગરિકતા માટે અરજી કરનારા 90 અરજદારોને ડોક્યુમેન્ટ્સ સોંપશે. આ 90 અરજદારોમાંથી મોટાભાગના પાકિસ્તાનના હિન્દુઓ છે. આ અરજદારો બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી કેટેગરીના છે. દેશભરમાં સૌથી વધારે નાગરિકતાના સર્ટિફિકેટ અમદાવાદમાં આપવામાં આવ્યા છે. અત્યાર સુધી 320 લોકોને નાગરિકતા આપવામાં આવી છે. અમદાવાદ કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલી ઓફિશિયલ રીલિઝમાં લખવામાં આવ્યું છે કે, ભારત સરકારની 23 ડિસેમ્બર, 2016ની નોટિફિકેશન અનુસાર અમદાવાદ, ગાંધીનગર અને કચ્છના જિલ્લા કલેક્ટર પાસે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતી સમાજના લોકોને ભારતની નાગરિકતા આપવાની સત્તા છે. અહીં લઘુમતીમાં હિન્દુ, જૈન, પારસી, શીખ, બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મના લોકોનો સમાવેશ થાય છે.2017માં જુલાઈ અને નવેમ્બર મહિના દરમિયાન પાકિસ્તાનના અનેક હિન્દુ અને સિંધી સમાજના સભ્યોને ભારતની નાગરિકતા આપવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments