Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM મોદીના પ્રવાસ પહેલાં કચ્છના મધાપારમાં હિંસા, યુવકની હતા બાદ ધાર્મિક સ્થળ અને દુકાનોમાં તોડફોડ

Webdunia
શનિવાર, 27 ઑગસ્ટ 2022 (13:17 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શનિવારથી (આજે) બે દિવસની ગુજરાત મુલાકાત પહેલા કચ્છના ભુજ શહેરના માધાપર ગામમાં હિંસાનો મામલો સામે આવ્યો છે. જોકે એક યુવકની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. મળતી માહિતી મુજબ દૂધની ફેરી કરતા યુવક પરેશ રબારીની હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પરસ્પર અદાવતના કારણે યુવક પર બજારમાં હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં યુવકને સારવાર માટે ભુજની હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
 
પોલીસના જણાવ્યા અનુસાર ભુજના છેવાડે આવેલા માધાપરના રબારી સમાજના લોકો પરેશ રબારીની હત્યાથી રોષે ભરાયા હતા. અંતિમ સંસ્કારમાંથી યુવક પરત ફર્યા બાદ રોષે ભરાયેલા ટોળાએ દુકાનો અને ધાર્મિક સ્થળોમાં તોડફોડ કરી હતી. જો કે ટૂંક સમયમાં જ પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ હતી. કચ્છ-પશ્ચિમ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘે જણાવ્યું હતું કે પરિસ્થિતિ કાબૂમાં છે. આ અંગે અત્યારે વધુ કંઈ કહી શકું તેમ નથી.
 
આ સાથે પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. આ સાથે બંને જૂથની ફરિયાદો નોંધવામાં આવી છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાસ્તવમાં માધાપર ભૂકંપ પીડિતોની યાદમાં બનાવવામાં આવેલા 'સ્મૃતિ વન' સ્મારકથી માત્ર ચાર કિલોમીટર દૂર છે, જેનું રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments