Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં રાઈડ દુર્ઘટના મામલો: હવે ઠરીને ઠામ કરવાના પ્રયાસ

Webdunia
શુક્રવાર, 19 જુલાઈ 2019 (12:11 IST)
શહેરના કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં ડિસ્કવરી નામની રાઈડ તૂટ્યાના ચાર દિવસ બાદ પણ બે લોકોનાં મોત માટે જવાબદાર કોણ છે તે સામે આવ્યું નથી. જ્યારે પોલીસ દ્વારા પણ હવે તપાસની તમામ બાબતો છુપાવવામાં આવી રહી હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તેમ જ મીડિયા સાથે કોઈપણ વાત કરવાનો અને માહિતી આપવાનો ઈનકાર કરી રહ્યા છે. મનપા, આર એન્ડ બી વિભાગ અને પોલીસ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી મામલો રફેદફે કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ લોકોએ કર્યો હતો. માત્ર એટલું જ નહીં તા.૧૭ જુલાઈના રોજ એફએસએલનો રિપોર્ટ આવ્યો હોવા છતાં આ રિપોર્ટ મીડિયાને ન આપીને મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમ જ સત્તાવાર રીતે રાઈડ તૂટવા પાછળનું નક્કર કારણ પણ આપવામાં આવ્યું નથી. આ દુર્ઘટના મામલે અત્યાર સુધીમાં આર એન્ડ બી વિભાગ અને કોર્પોરેશનના નિવેદનો આવ્યા હતા. પણ પોલીસ ચૂપકીદી સેવી રહી છે. તેમ જ આ મામલો ‘ઉપરના લેવલે’ જ દબાવી દેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાની ચર્ચાએ શહેરભરમાં જોર પકડ્યું હતું. પૂર્વ કોર્પોરેટર મહેન્દ્રના ભાઈ ઘનશ્યામને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments