Webdunia - Bharat's app for daily news and videos

Install App

નૌતમ સ્વામીની હકાલપટ્ટી બાદ અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને મોટી જવાબદારી મળી

Webdunia
બુધવાર, 6 સપ્ટેમ્બર 2023 (13:08 IST)
Mahant Dilipadasji Maharaj
જગન્નાથ મંદિરમાં સંતોની બેઠક બાદ દિલીપદાસજી મહારાજને અખિલ ભારતીય સંત સમિતી ગુજરાતના અધ્યક્ષ બનાવાયા
 
સાળંગપુરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમાની નીચે ભીંતચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આ વિવાદોનો અંત લાવવા આ ભીંતચિત્રોને હટાવી લેવામાં આવ્યા હતાં. વિવાદનું સુખદ સમાધાન આવ્યા બાદ પણ સનાતની સંતો હજી નારાજ જોવા મળી રહ્યાં છે. સંતો હજુ પણ આ મામલે લડી લેવાના મૂડમાં હોય એવું દેખાઈ રહ્યું છે. ગઈકાલે લીંબડીમાં સનાતન ધર્મના સાધુ-સંતોની બેઠક મળી હતી. જેમાં તેમની માગણીઓ પરના વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ હતી. આ બેઠકમાં સંતોએ કેટલાક મુદ્દાઓ તૈયાર કર્યા હતાં અને તેની સામે સ્વામીનારાયણ સંપ્રદાય સામે હાંકલ કરવાનું વિચાર્યું હતું. બીજી તરફ અમદાવાદમાં પણ આજે જગન્નાથજી મંદિર ખાતે સંતોની મહત્વની બેઠક મળી હતી. 
 
નૌતમ સ્વામીની હકાલપટ્ટી કરવામાં આવી હતી
સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા સારંગપુરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતાં સનાતની સંતો અને સ્વામીનારાયણના સંતોએ સામ સામે નિવેદનો કર્યાં હતાં. તે ઉપરાંત હનુમાન ભક્તોમાં પણ આ ભીંતચિત્રોને લઈને રોષ ફેલાયો હતો. જેને લઈને નૌતમ સ્વામીની અખીલ ભારતીય સંત સમિતીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. ત્યાર બાદ સ્વામીનારાયણના સંતોએ રાજ્ય સરકાર અને વીએચપી સાથે બેઠક કરી હતી અને સમગ્ર વિવાદનું સુખદ સમાધાન આવ્યું હતું. પરંતુ લિમડી ખાતે મળેલી બેઠકમાં સનાતની સંતો નમતુ જોખવા તૈયાર નહોતા થયા તેઓ હજી પણ લડી લેવાના મુડમાં દેખાઈ રહ્યાં છે. આજે અમદાવાદમાં જગન્નાથજી મંદિરે સનાતની સંતોની બેઠક મળી હતી. જેમાં મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. નૌતમ સ્વામીની હકાલ પટ્ટી બાદ દિલીપદાસજી મહારાજની અખિલ ભારતીય સંત સમિતી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments