Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં મોડી રાત્રે દુર્ઘટના સર્જાઇ, હાઇરાઇઝ બિલ્ડીંગની દિવાલ ધરાશાયી

અમદાવાદમાં મોડી રાત્રે દુર્ઘટના સર્જાઇ  હાઇરાઇઝ બિલ્ડીંગની દિવાલ ધરાશાયી
Webdunia
મંગળવાર, 22 ફેબ્રુઆરી 2022 (10:16 IST)
અમદાવાદ શહેરના એસજી હાઇવે પર આવેલા વૈષ્ણણ દેવી સર્કલા પાસે એક મોટી હોનારત સર્જાઇ હતી. પરંતુ સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ ન હતી. જેમાં હાઇરાઇઝ બિલ્ડીંગની દીવાલ ધરારાશાયી થતાં બાજુમાં પાર્ક કરેલી ગાડીઓ ધડાધડ ખાડામાં ખાબકી હતી. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી જાસમેન ગ્રીન 1 પાસે નવી બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં 
બાજુના હાઇરાઈઝ બિલ્ડીંગની દીવાલ ધરાશાયી થતા પાર્ક કરાયેલી ગાડીઓ ખોદકામ કરાયેલા ખાડામાં 3 થી 4 ગાડીઓ ખાબકી હતી. એટલું જ નહીં નવી બની રહેલી બિલ્ડિંગના ખોદકામમાં બે માળ ઊંડા ખાડામાં ધડાધડ એક પછી એક કાર ખાબકતા લોકો દોડી આવતા લોકોના ટોળેટોળા વળી ગયા હતા. 
 
બાજુમાં બનીર અહેલા બિલ્ડીંગના બેઝમેન્ટ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન બાજુમાં આવેલી બિલ્ડીંગની દિવાલ ધરાશાયી થઇ હતી. જેના લીધે તેમના બેઝમેન્ટ પાર્ક કરેલી કેટલીક ગાડીઓ ખાબકી હતી. બે થી 3 માળ જેટલા ઉંડા ખાડમાં ઘણી કાર ખાબકી ગઇ હતી. જેને લીધે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. લોકોમાં ભય પ્રસરી જવા પામ્યો હતો. 
 
આ ઘટનામાં અંડરગ્રાઉન પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પણ થયું છે. આ ઘટનાની માહિતી ફાયર બ્રિગેડને મળતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જે જગ્યાએ દિવાલ ઘસી ગઈ છે ત્યા નજીકમાં કંસ્ટ્રક્શન કંપનીનું કામ ચાલી રહ્યું છે. જાસ્મીન ગ્રીન 1માં દિવાલ ઘસી પડવાની ઘટના બની છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments