Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ahmedabad - ધંધુકા-બોટાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત

Ahmedabad - ધંધુકા-બોટાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત  ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત
Webdunia
મંગળવાર, 30 મે 2023 (12:04 IST)
બે યુવાનોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
 
અમદાવાદમાં એસજી હાઈવે પર કાર ચાલકે માતા અને પુત્રીને અડફેટે લેતાં બંનેના મોત
 
 
 ગુજરાતમાં હાઈવે પર પસાર થતાં વાહનોની બેફામ ગતિને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. આજે ધંધુકા-બોટાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય બેને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. 
 
ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે બોટાદ-ધંધુકા હાઈવે પર બરવાળા રોડ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે બે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે ધંધુકા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. 
 
અમદાવાદમાં એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના
અમદાવાદમાં સરખેજ ગાંધીનગર હાઈવે પર એક કાર ચાલકે માતા અને દીકરીને અડફેટે લીધા હતાં અને ત્યાર બાદ તે ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં માતા અને પુત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બીજી એક ઘટનામાં ગત 28 મેના રોજ અમરાઈવાડી વિસ્તારમાં બીઆરટીએસ ટ્રેકમાં એક્ટિવા લઈને જતી નર્સને કાર ચાલકે અડફેટે લીધી હોવાનો બનાવ બન્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ આ સમયે કરશો ડિનર તો મળશે 7 કમાલના ફાયદા, દૂર થઈ જશે શરીરની અનેક પરેશાનીઓ

રોજની આ 5 ભૂલો Vagina ને નુકસાન પહોંચાડે છે, મહિલાઓએ તેને કરવાનું ટાળવું જોઈએ

જલજીરા શિકંજી

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

છોકરાઓના નામ રામના નામ પર

વધુ જુઓ..

નવીનતમ

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

આગળનો લેખ
Show comments