Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતની રાજ્યસભાની બે બેઠકોની ભાજપના ઉમેદવારો જાહેર: ત્રીજી માટે સસ્પેન્સ યથાવત્

ગુજરાતની રાજ્યસભાની બે બેઠકોની ભાજપના ઉમેદવારો જાહેર: ત્રીજી માટે સસ્પેન્સ યથાવત્
Webdunia
ગુરુવાર, 12 માર્ચ 2020 (12:39 IST)
ગુજરાતની રાજયસભાની ચાર બેઠકોની આગામી ૨૬મી માર્ચે યોજાનારી ચૂંટણીના બે ઉમેદવારોની આજે ભાજપે જાહેરાત કરી છે. જેમાં સૌરાષ્ટ્રના જૂના જનસંઘી અને જાણીતા વકીલ અભય ભારદ્વાજ અને કૉંગ્રેસી કૂળના રમિલાબેન બારાની પસંદગી કરવામાં આવી છે. ભારદ્વાજ બ્રહ્મ સમાજના પણ અગ્રણી છે. જ્યારે રમીલાબેન આદિવાસી સમાજમાંથી પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. જોકે ભાજપે ત્રીજા ઉમેદવારનું સસ્પેન્સ યથાવત્ રાખ્યુ છે. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ગુજરાતમાંથી બે નવાં ચહેરાની પસંદગી કરી છે. ગુજરાતની ત્રીજી બેઠક માટે રહસ્ય યથાવત રાખ્યું છે, કારણ કે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની બેઠકો ઘટતા તેની રાજયસભાની એક બેઠક ઘટી છે. પોતાની પસંદગી માટે અભય ભારદ્વાજે જણાવ્યું હતું કે, મને પસંદ કરવા માટે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર માનુ છું. અભય ભારદ્વાજ રાજકોટનું જાણીતું નામ છે. પોતાનું નામ ઉમેદવાર તરીકે જાહેર થતા અભય ભારદ્વાજે ભાજપનો આભાર માન્યો હતો. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક માટે ૨૬ માર્ચે યોજાનારી ચૂંટણીને લઈ ભાજપ અને કૉંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલ ભાજપના ત્રણ સાંસદ શંભુપ્રસાદ ટુંડિયા, લાલસિંહ વડોદિયા અને ચુનીભાઈ ગોહેલ અને કૉંગ્રેસના મધુ સુદન મિસ્ત્રી એમ કુલ ચાર સભ્ય નિવૃત્ત થઈ રહ્યા છે. આ ચારેય બેઠકોની ચૂંટણી એકસાથે થવાની છે, પરંતુ ધારાસભ્યોના સંખ્યા બળને ધ્યાનમાં રાખતા ભાજપ અને કૉંગ્રેસ એમ બંનેના બે -બે બેઠકો મળી શકે છે. જોકે કૉંગ્રેસમાં ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયાના નામ ચર્ચા રહ્યાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

Birthday wishes for friend- જન્મદિવસ ની શુભકામના મિત્ર

Google Image Search- ગૂગલ ઇમેજ સર્ચ ફક્ત ડ્રેસ શોધવા માટે બનાવવામાં આવ્યું હતું, તમે કદાચ તેની પાછળની રસપ્રદ વાર્તા નહીં જાણતા હોવ.

વધુ જુઓ..

નવીનતમ

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

ગુજરાતી જોક્સ - મૂર્ખ બનાવી રહ્યો છે

ગુજરાતી જોક્સ - હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments