Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધ્રાંગધ્રામાં 3 વર્ષથી ખાલી કૂવામાં એક જંગલી બિલાડી પડી હતી, જીવદયાપ્રેમી યુવાનોએ રેસ્ક્યૂ કરી બહાર કાઢી

Webdunia
સોમવાર, 25 જુલાઈ 2022 (12:47 IST)
ધ્રાંગધ્રામાં 3 વર્ષથી ખાલી કૂવામાં એક જંગલી બિલાડી પડી હતી.ખેડૂતો દ્વારા તેને બહાર કાઢવાના પ્રયાસો છતાં નિષ્ફળતા મળી અને આ બિલાડીને ખેડૂતો ખોરાક નાખતા હતા. ત્યારે આ બિલાડીને જીવના જોખમી 80 ફૂટ કૂવામાં ઉતરીને 4.15 કલાકની મહેનત બાદ જીવદયા પ્રેમી યુવાનો દ્વારા સલામત બહાર કાઢી બાદમાં જંગલમા છોડી મૂકવા આવી હતી.

ધ્રાંગધ્રા પંથકની પથરાળ જમીન હોવાની સાથે મોટા પ્રમાણમાં જંગલ વિસ્તારની જમીન પણ આવેલી છે. જંગલની જમીન નજીકમાં ખેડૂતોની જમીન રહેલી હોય ત્યાં અવારનવાર જંગલી ઘુડખર, નીલગાય અને ઘણીવાર ઝરખ પણ દેખાતા હોય છે. ખાસ કરીને કોબ્રા, કાળોતરો, ફૂરસા જેવા ઝેરી સર્પો વધુ જોવા મળતા હોય છે. ત્યારે ધ્રાંગધ્રા શહેરના નરશીપરા વિસ્તારમાં ફાર્મવાળા મેલડીમાની બાજુની વાડીના એક 80 ફૂટના કૂવામાં છેલ્લા 3 વર્ષથી જંગલી બિલાડી પડેલી હતી.ખેડૂતો દ્વારા ઘણા પ્રયત્નો કરવા છતાં બિલાડી નીકાળવામાં નિષ્ફળ ગયા હતા. ખેડૂતો બિલાડીને ખોરાક નાખતા. ત્યારે જીવદયા પ્રેમી યુવાન બ્રિજેશભાઈ રાઠોડ અને જયેશભાઇ ઝાલા ખબર પડતા સાથી યુવાનો, સાથે ત્યાં પહોંચ્યા હતા. અને જર્જરિત કૂવામાં જીવના જોખમે ઉતરીને 4.15 કલાકની ભારે જહેમત બાદ બિલાડીને સુરક્ષિત બહાર કાઢીને સફળ રેસ્ક્યુ કર્યું હતું. જંગલના જીવને જંગલમાં છોડ્યું હતું.આ અંગે બ્રિજેશભાઈ રાઠોડ અને જયેશ ભાઈ ઝાલાએ જણાવ્યું કે ઊંડા કૂવામાં ઉતરવું મુશ્કેલ હતું. અને જંગલી બીલાડી માણસ પર હુમલો કરતી હોવાથી જીવન જોખમ હતું પકડવાનું ત્યારે જીવના જોખમે મોઢા અને શરીરના ભાગે રૂમાલ બાંધી લાંબી લાકડીમા દોરડાંનો ગાળીયો કરી 4.15 કલાક મેહનત બાદ કુવામાં ઉતરી જંગલી બિલાડીને બહાર કાઢી સુરક્ષિત જગલમા છોડી મૂકવામા આવી હતી.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments