Webdunia - Bharat's app for daily news and videos

Install App

પિલવાઈ કોલેજમાં ભારતમાં આર્થિક ઉદારીકરણના ત્રીસ વર્ષનો અનુભવ અને અસરો પર સેમીનાર યોજાયો

Webdunia
શનિવાર, 17 ફેબ્રુઆરી 2024 (19:10 IST)
A seminar at Pillai College

આજે ડૉ જે ડી તલાટી વિદ્યાસંકુલમાં આવેલી શ્રી યુ પી આર્ટસ શ્રીમતી એમ જી પંચાલ સાયન્સ અને શ્રી વી એલ શાહ કોમર્સ કોલેજમાં અર્થશાત્ર ઈતિહાસ અને મનોવિજ્ઞાન વિભાગ દ્વારા એક દિવસનો રાષ્ટ્રીય કક્ષાનો સેમીનાર યોજવામાં આવ્યો હતો.ભારતમાં આર્થિક ઉદારીકરણની સામજિક અને આર્થિક અસરો અને અનુભવ વિષય પર યોજાયેલા આ રાષ્ટ્રીય સેમિનારમાં ગુજરાત યુનિવર્સિટી જર્નાલિઝમ વિભાગના અધ્યક્ષ પ્રો ડૉ સોનલ પંડ્યા અને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજના અધ્યાપિકા ડૉ પીન્કી દેસાઈ મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા.

આ પ્રસંગે અર્થશાસ્ત્ર વિષયના અધ્યક્ષ પ્રો.કાર્તિકેય ભટ્ટ દ્વારા સેમિનારનું મહત્વ અને વિષયની પ્રાસંગિકતા રજુ કરવામાં આવી હતી. આ સેમિનારમાં એકસોથી વધુ અધ્યાપકોએ ભાગ લીધો હતો. જેમાં 75થી વધુ સંશોધન પત્રો રજૂ થયાં હતાં. ગુજરાત યુનિવર્સિટી જર્નાલિઝમ વિભાગના અધ્યક્ષ પ્રો.ડૉ.સોનલ પંડ્યાએ આ પ્રસંગે ભારતમાં આર્થિક ઉદારીકરણ બાદ મહિલાઓની બદલાયેલી ભૂમિકા માટે પ્રવચન આપ્યું હતું. તેમણે માર્મિક રીતે કહ્યું હતું કે ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ બદલાઈ છે પણ દરજ્જો બદલાયો નથી.

ભારતની આર્થિક પ્રગતિમાં મહિલાઓનો ફાળો અવગણી શકાય તેમ નથી પણ મહિલાઓના કામને આદર મળતો નથી. સ્ત્રીઓ એ પણ જુદા જ માપદંડોને અગત્યના ગણ્યા છે.અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજના અધ્યાપિકા ડૉ પીન્કી દેસાઈ એ 1991થી 2021ના 30 વર્ષ દરમિયાન ભારતની આર્થિક સ્થિતિના પરિવર્તનો માટે કહ્યું હતું કે ગ્રોથને મહત્વ આપવામાં ગોલ છૂટી ગયો છે અને જો સ્ત્રીઓનું પ્રદાન માપીએ તો ભારત ક્યારનુંય ફાઈવ ટ્રીલીયન ડોલર ઈકોનોમીમાં પહોચી ગયું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો જીત્યો ખિતાબ, ચીનને હરાવ્યું

Jammu Kashmir Election 2024 - આજે જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

આગળનો લેખ
Show comments