Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસે સમારકામ વખતે જ જર્જરિત પુલનો એક ભાગ ધરાશાયી

રાજકોટના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસે સમારકામ વખતે જ જર્જરિત પુલનો એક ભાગ ધરાશાયી
Webdunia
સોમવાર, 13 ડિસેમ્બર 2021 (14:26 IST)
રાજકોટ નજીક જૂના કુવાડવા રોડ પર પોલીસ મથક નજીકના પુલ કે જે લાલપરીના પુલ તરીકે ઓળખાય છે, તેનો એક તરફનો કેટલોક ભાગ આજે રિપેરિંગ વખતે જમીનમાં ધરાશાયી થઈ જતા દોડધામ મચી ગઈ હતી. આ વખતે પુલનું હીટાચી મશીનથી સમારકામ ચાલતુ હોવાથી આ મશીન પણ જમીનમાં ખાબક્યુ હતું. જેના કારણે તેના ચાલકને ઈજા થઈ હતી.પ્રાપ્ત વિગત મુજબ જૂના કુવાડવા રોડ પર પોલીસ મથક નજીક આવેલા પુલનું છેલ્લા ઘણા સમયથી સમારકામ ચાલુ છે. પુલની એક તરફની એટલે કે રાજકોટથી અમદાવાદ જવા માટેની સાઈડ 8 ડિસેમ્બરે ખોલી નાખવામાં આવી હતી. જ્યારે તેની સામેની એટલે કે અમદાવાદથી રાજકોટ તરફની સાઈડનું સમારકામ ગઈકાલથી શરૂ થયું હતું. આ માટે ગઇકાલે બપોરે આ સાઈડ તરફ હીટાચી મશીનથી કામગીરી ચાલુ હતી. ત્યારે અચાનક પુલનો અમુક ભાગ નીચે ધસી પડતા તેની સાથે હીટાચી મશીન પણ નીચે ધસી પડ્યું હતું. જેને કારણે તેના ચાલકને માથાના ભાગમાં ઈજા થઈ હતી.આ ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. એટલુ જ નહી ઘણા સમય સુધી ટ્રાફિકજામ થઈ ગયો હતો. ખાડામાં ખાબકેલા હીટાચી મશીનને બહાર કાઢવા માટે તોતિંગ ક્રેઈન મગાવવામાં આવી હતી. ત્યારબાદ લાંબી જહેમત બાદ સાંકળની મદદથી હીટાચી મશીનને મહામુસીબતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. તેનો ચાલક ઘવાતા તેને હોસ્પિટલમાં સારવાર અપાવાઈ હતી. ઉલ્લેખનીય છે કે પુલનો જે ભાગ આજે ધરાશાયી થયો હતો તે પુલ ગઈકાલ સુધી ખુલ્લો હતો. રિપેરિંગ માટે ગઇકાલે જ બંધ કરાવાયો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments