Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં 8 વર્ષના દીકરા સામે જ માતાનો 12મા માળેથી કૂદી આપઘાત કર્યો

Webdunia
બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (16:47 IST)
સુરતના અલથાણ વિસ્તારમાં દીકરાની સામે માતાએ 12મા માળેથી કૂદી આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. પતિ ચારિત્ર્ય પર શંકા કરતાં આપઘાત કર્યો હોવાથી પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. અલથાણ વિસ્તારમાં રહેતી પરિણીતા પર પતિની ચારિત્ર્યની શંકા અને છેલ્લાં 9 વર્ષથી ત્રાસ આપતાં આપઘાત કરી લીધો હોવાની વાત સામે આવી રહી છે. પોતાના પુત્રની નજર સામે જ માતાએ બારમા માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો છે.

પતિ ચારિત્ર્ય પર શંકા રાખતા હોવાથી પોતાના 8 વર્ષના દીકરાની સામે જ માતા કૂદી હતી. આત્મહત્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.એપાર્ટમેન્ટના બારમા માળેથી ઝંપલાવી દેતાં રહીશો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. પુત્ર માતાને બિલ્ડિંગ પર આત્મહત્યા કરતા જોઈ આત્મહત્યા ન કરવા માટે કરગરતો રહ્યો હતો. ખટોદરા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments