Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમરેલી: રમતા રમતા મોત આવ્યું, પાણી ભરેલા ખાડામાં પગ લપસી જતાં 3 બાળકોના મોત

Webdunia
સોમવાર, 27 જૂન 2022 (10:52 IST)
અમરેલી તાલુકાના ખડ ખંળાળિયા ગામમાં એક શ્રમિક પરિવારના માથે અણધારી આફત આવી પડતાં માથે આભ તૂટી પડ્યું હતું. મજૂર પરિવારના ત્રણ બાળકો રમતાં-રમતાં પાણીના ખાડામાં ડૂબી જતાં તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનો તથા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. એક જ પરિવારના ત્રણ બાળકોના મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. પોલીસ અકસ્માતના બનાવનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી તાલુકાના ખડ ખંળાળિયા ગામમાં એક કરૂણ બનાવ સજાર્યો હતો. આ શ્રમિક પરિવાર મૂળ રાજસ્થાન છે. બનાવની વિગત એવી છે કે આ પરિવાર ખેત મજૂરી કરીને ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન બાળકોના પગ લપસી પડતાં 3 બાળકો પાણી ભરેલા ખાડામાં પડી ગયા હતા. બનાવની જાણ થતાં આસપાસના લોકો અને પરિવારજનોએ ત્રણેય બાળકોને બહાર કાઢી તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા. જોકે ફરજ પરના ડોકટે મૃત જાહેર કર્યા હતા.
મૃતકોમાં બે બાળકો અને એક બાળકી છે. ત્રણ બાળકોના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments