Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં સતત બીજા દિવસે આગ, ભગવાનના વાઘા આગમાં બળીને ખાખ

Webdunia
મંગળવાર, 16 નવેમ્બર 2021 (01:17 IST)
રાજકોટમાં આજે સતત બીજા દિવસે આગ લાગવાની ઘટના બની છે. બંગડી બજાર સ્થિત ઓમ હેન્ડી ક્રાફ્ટ નામની દુકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી.  આ ઘટનાની જાણ થતા ફાયરવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળે આવેલી દુકાનમાં લાગેલ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. ભારે જહેમત બાદ ફાયરવિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. હેન્ડી ક્રાફટની દુકાનમાં રાખવામાં આવેલા ભગવાનના વાઘા આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું તારણ સામે આવ્યું છે. 
 
રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે રાત્રે આગ લાગવાની ઘટના બની છે. ગઈ કાલે રાતે ટાગોર રોડ પર આવેલા મારૂતિ સુઝુકીના શોરૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. અને આજે બંગડી બજારમાં હેન્ડી ક્રાફટ દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

ગુજરાતી જોક્સ - હોમવર્ક કર્યું નથી,

ગુજરાતી જોક્સ -મગફળી

ગુજરાતી જોક્સ - પતિને મળવા ગઈ

વધુ જુઓ..

નવીનતમ

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

Slap Day- 15 મી ફેબ્રુ સ્લેપ ડે

ડાયાબિટીસમાં અસરકારક છે આ પાવડર, નથી વધવા દેતો બ્લડ શુગર લેવલ, ઘણી બીમારીઓમાં છે ફાયદાકારક

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

આગળનો લેખ
Show comments